For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ

By Super
|
Google Oneindia Gujarati News

AMAR SINGH
નવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ સદીના મહાનાયક ગુરુવારે 70 વર્ષના થઇ ગયા છે. આ તકે તેમને આખા દેશમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના ઘરની બહાર શુભકામનાઓ આપવા આવનારાઓની લાઇન લાગી રહી છે. તેમના મિત્ર અમરસિંહે પણ બિગ-બીને જન્મદિવસની શુભકામનાઓ આપી, પરંતુ આ તકે તેઓ ઘણા ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે, બર્થડે પાર્ટીમાં મને શા માટે નથી બોલવ્યો તે બચ્ચન પરિવાર જ જણાવી શકે તેમ છે.

અમર સિંહે જ્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આધારિત પાર્ટીમાં હાજરી નહીં કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. અમરસિંહે કહ્યું કે તેમના જન્મ દિવસ પર એક હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા મને કેમ ના બોલાવવામાં આવ્યો આ પ્રશ્ન બચ્ચન પરિવારને કરો.

આ તકે અમર સિંહે એમ કહેવાનું ભુલ્યા નહીં કે, એક કહેવત છે કે સુખમાં બધા સાથી હોયછે દુઃખ કોઇ નહીં. આજે તેમની ખુશીના દિવસે બધા તેમની સાથે છે, મને એ વાતની ખુશી છે કે તેમના દુઃખના દિવસોમાં હું તેમની સાથે રહ્યો છું.

આવું કહેવાનું દુસાહસ હું એટલા માટે કરું છું કે વારંવાર પોતાના નિવેદનમાં તે વિભન્ન ચેનલોને એવું કહી રહ્યાં છે કે, જો અમરસિંહ ના હોત તો હું આજે મુંબઇમાં ટેક્સી ચલાવતો હોત. જો કે, હું એવું કહેતો નથી, એવુ વિચારતો નથી અને એવું માનતો નથી. મારું માનવું છે કે મે તેમને પ્રેમ આપ્યો અને સ્નેહ આપ્યો.

અમરસિંહે કહ્યું કે અમિતાભનું દુઃખ મારું દુઃખ હતું. તેમના દુઃખને મારું દુઃખ સમજીને હું તેમની સાથે ઉભો રહ્યો. તેમના 70માં જન્મદિવસની હું તેમને શુભકામના પાઠવું છું.

English summary
Amar Singh wishes happy birth day to Amitabh Bhachchan for his 70th birth day, but amar singh expressed his pain about Big B ingnores him for his birth day party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X