પાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ
અમર સિંહે જ્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આધારિત પાર્ટીમાં હાજરી નહીં કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. અમરસિંહે કહ્યું કે તેમના જન્મ દિવસ પર એક હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા મને કેમ ના બોલાવવામાં આવ્યો આ પ્રશ્ન બચ્ચન પરિવારને કરો.
આ તકે અમર સિંહે એમ કહેવાનું ભુલ્યા નહીં કે, એક કહેવત છે કે સુખમાં બધા સાથી હોયછે દુઃખ કોઇ નહીં. આજે તેમની ખુશીના દિવસે બધા તેમની સાથે છે, મને એ વાતની ખુશી છે કે તેમના દુઃખના દિવસોમાં હું તેમની સાથે રહ્યો છું.
આવું કહેવાનું દુસાહસ હું એટલા માટે કરું છું કે વારંવાર પોતાના નિવેદનમાં તે વિભન્ન ચેનલોને એવું કહી રહ્યાં છે કે, જો અમરસિંહ ના હોત તો હું આજે મુંબઇમાં ટેક્સી ચલાવતો હોત. જો કે, હું એવું કહેતો નથી, એવુ વિચારતો નથી અને એવું માનતો નથી. મારું માનવું છે કે મે તેમને પ્રેમ આપ્યો અને સ્નેહ આપ્યો.
અમરસિંહે કહ્યું કે અમિતાભનું દુઃખ મારું દુઃખ હતું. તેમના દુઃખને મારું દુઃખ સમજીને હું તેમની સાથે ઉભો રહ્યો. તેમના 70માં જન્મદિવસની હું તેમને શુભકામના પાઠવું છું.