For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં બે જૂથો વચ્ચે ગોળીબાર, 10 મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ ફરી એકવાર આસામમાં લોહીયાળ જંગ ખેલાયાના સમાચાર આવ્યા છે. સમાચાર આસામના સોનિતપુર જિલ્લાથી આવ્યા છે. જ્યાં બે જૂથો વચ્ચે થયેલી જોરદાર ગોળીબાર બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જ્યારે જણાવવામાં આવ્યું છે કે, ત્રણ લોકો લાપતા છે.

assam-7-killed-9-injured-in-bodo-militant-attack
રાજધાની ગુવાહાટીથી 280 કિ.મી દૂર સોનિતપુરમાં આસામ પોલીસ, સીઆરપીએફ અને આસામ રાયફલ્સના જવાનો મોકલવામાં આવ્યા છે. જ્યાં આ ઘટના ઘટી છે, એ વિસ્તાર આસામ-અરૂણાચલ બોર્ડર પર રિઝર્વ ફોરેસ્ટનો છે. અહીં બે જૂથોમાં વિવાદ વકર્યો અને બાદમાં આ વિવાદ ગોળીબાર સુધી પહોંચી ગયો.

પોલીસ અને અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર બન્ને જૂથો વચ્ચે ગેરકાયદે દબાણને લઇને વિવાધ વકર્યો હતો અને ગોળીબાર શરૂ થઇ ગયો. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો અરૂણાચલ એગ્રેશન વિરોધી સમિતિના સભ્યો હતો. આ સમિતિના લોકો આસામના વિસ્તારમાં કથિત રીતે અરૂણાચલના લોકોના ગેરકાયદે દબાણનો વિરોધ કરી રહ્યાં હતા.

સમાચાર આવી રહ્યાં છે કે છેલ્લા કેટલાક દિવસોથી આસામ સરકાર તરફથી આ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારથી આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો.

English summary
At least 10 people were killed and 12 others injured following dispute over eviction from encroached land in Assam's Sonitpur district, 280 km from state capital Guwahati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X