નહેરુની ‘અટલ' ભવિષ્યવાણી અને વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા
વાજપેયી વિશે નહેરુએ કહ્યુ હતુ, ‘આ યુવક એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનશે.' નહેરુની આ ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ.
અટલ બિહારી વાજપેયીએ જીવનભર કોંગ્રેસ વિરોધી રાજનીતિ કરી. તેમણે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની નીતિઓની આકરી ટીકા કરી. ઘણા પ્રસંગે વાજપેયી તેમની પ્રશંસા પણ કરતા હતા. વાજપેયીએ જ્યારે પહેલી વાર સંસદ પહોંચ્યા તો તેમણે સરકારને ઘણા મોરચે ઘેરી. વિદેશી બાબતો પર તેમની ઉંડી સમજ, ખૂબ જ શાનદાર હિંદી અને મંત્રમુગ્ધ કરતી ભાષણ શૈલી જોઈને પંડિત નહેરુ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. તે વખતે વાજપેયી વિશે નહેરુએ કહ્યુ હતુ, 'આ યુવક એક દિવસ દેશનો પ્રધાનમંત્રી બનશે.' નહેરુની આ ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ.

નહેરુ અને વાજપેયી સાથે જોડાયેલા ઘણા સંયોગ
નહેરુ અને વાજપેયી વચ્ચે અલગ જ સંબંધ હતો. કોંગ્રેસ પક્ષ અને દેશના પહેલા પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય નહેરુને મળ્યુ તો વાજપેયી પણ ભાજપના પહેલા પીએમ બન્યા અને પહેલા એવા બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી રહ્યા જેમણે 6 વાર લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો. વાજપેયીનું વધુ એક કનેક્શન નહેરુ સાથે છે. વાજપેયીએ પહેલી વાર 1955 માં લખનઉથી ચૂંટણી લડી હતી. આ સીટ પંડિત નહેરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતના રાજીનામા બાદ ખાલી થઈ હતી. જો કે તે આ ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ તેમની ભાષણશૈલીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી હતી. બે વર્ષ બાદ 1957 માં વાજપેયીએ ત્રણ લોકસભા સીટો પરથી ઉમેદવારી નોંધાવી. બલરામપુરથી તે જીતી ગયા, મથુરામાં તેમની જમાનત જપ્ત થઈ જ્યારે લખનઉમાં તેમને સારા એવા મત મળ્યા પરંતુ જીતી શક્યા નહિ.

જ્યારે વિદેશમંત્રી બન્યા વાજપેયી તો નહેરુનો ફોટો અંગે કહી આ વાતો
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના જણાવ્યા અનુસાર 1977 માં મોરારજી દેસાઈની સરકારમાં વાજપેયી વિદેશ મંત્રી બન્યા હતા. તેઓ ચાર્જ લેવા જ્યારે સાઉથ બ્લોક સ્થિત ઓફિસમાં પહોંચ્યા તો પોતાના સચિવને કહ્યુ, ‘મને યાદ છે જ્યારે પહેલા હું આ ઓફિસમાં આવ્યો હતો ત્યારે અહીં પંડિતજીનો ફોટો લાગેલો હતો. તે ફોટો ક્યાં ગયો? એ ફોટાને પાછો લગાવી દો.' અધિકારીઓએ નહેરુનો ફોટો એ વિચારીને હટાવી દીધો હતો કે ક્યાંક વાજપેયી નારાજ ના થઈ જાય.

નહેરુના મૃત્યુ પર વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા
વાજપેયી પ્રખર વક્તા હતા. સરકારની ભૂલોને તે તથ્યો સાથે સંસદમાં મૂકતા હતા અને આ એ રીતે મૂકતા કે સત્તા પક્ષ જવાબ નહોતા આપી શકતા. પોતાના પ્રારંભિક રાજકીય જીવનમાં વાજપેયીએ નહેરુ અને કોંગ્રેસ બંનેની ખૂબ ટીકા કરી પરંતુ 1964 માં નહેરુના મૃત્યુ બાદ વાજપેયીએ સંસદમાં એવુ ભાષણ આપ્યુ જે ઈતિહાસ બની ગયુ. પક્ષોની રાજનીતિમાંથી ઉપર ઉઠીને રાજનીતિ કેવી રીતે કરી શકાય તેનું વાજપેયીએ મોટુ ઉદાહરણ રજૂ કર્યુ. વાજપેયીએ કહ્યુ, ‘પંડિતજીનું મૃત્યુ દેશ માટે એવુ છે જેમ કોઈ સપનુ અધુરુ છૂટી ગયુ હોય, જેમ કોઈ ગીત ચૂપ થઈ ગયુ હોય, તેમનું મૃત્યુ માત્ર પરિવાર કે કોઈ પક્ષ માટે ખોટ નથી પરંતુ સમગ્ર દેશ માટે દુઃખની વાત છે.'
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
