ન રહ્યા અટલ બિહારી વાજપેયી, સમગ્ર દેશમાં શોકની લહેર
સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે સાંજે 5 વાગીને 5 મિનિટે અંતિમ શ્વાસ લીધા.
સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે સાંજે 5 વાગીને 5 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર દેશ શોકમગ્ન થઈ ગયો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એઈમ્સ દ્વારા જાહેર કરાયેલ એક બુલેટિનમાં કહેવામાં આવ્યુ હતુ કે છેલ્લા 36 કલાકોથી તેમની તબિયતમા કોઈ સુધારો નહોતો થઈ રહ્યો. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
વાજપેયીજીના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે, 'હું નિઃશબ્દ છુ, ભાવનાઓને જુવાળ ઉમટી રહ્યો છે. આપણા સૌના શ્રધ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. પોતાના જીવનની પ્રત્યેક પળો તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી હતી. તેમનું જવુ એક યુગનો અંત છે.'
मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है।
— Narendra Modi (@narendramodi) 16 August 2018
हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।
પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'પરંતુ તે આપણને કહીને ગયા છે- મોતની ઉંમર શું છે? બે પળ પણ નહિ, જિંદગી સિલસિલા, આજકલકી નહિ, મે જી ભર જિયા, મે મન સે મરુ, લોટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરુ?'
लेकिन वो हमें कहकर गए हैं-
— Narendra Modi (@narendramodi) 16 August 2018
“मौत की उमर क्या है? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं
मैं जी भर जिया, मैं मन से मरूं,
लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”