અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી સેટલમેન્ટની પુષ્ટિ, જાણો શું કહ્યુ
બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થવા દરમિયાન વધુ એક સમાચાર આવ્યા કે બંધારણીય પીઠ સામે કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી પેનલે સમજૂતીનો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
રાજકીય રીતે સંવેદનશીલ અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. વળી, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થવા દરમિયાન વધુ એક સમાચાર આવ્યા કે બંધારણીય પીઠ સામે કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી પેનલે સમજૂતીનો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, સુન્ની વક્ફ બોર્ડના વકીલે પણ આની પુષ્ટિ કરી છે.

સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી પુષ્ટિ
બુધવારે મીડિયામાં સમાચારો આવ્યા હતા કે અયોધ્યા ભૂમિ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલ મધ્યસ્થી પેનલે એક સીલબંધ રિપોર્ટ આપ્યો હતો જેના વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે ‘આ અમુક હિંદુ અને મુસ્લિમ પક્ષ વચ્ચે સેટલમેન્ટ હતુ. આ મામલે સુન્ની વક્ફ બોર્ડના વકીલ શાહિદ રિઝવીએ કહ્યુ, જો તમે એ કામો કરવા ઈચ્છો છો, જે ક્યારેય નથી કરી શકતા તો તમે તેને છેલ્લા સમયમાં પણ કરી શકો છો. કોર્ટની બહાર, મધ્યસ્થતા પેનલ સામે બંને પક્ષોએ પોતાનુ મંતવ્ય મૂક્યુ છે અને અમુક શરતો પર એક મત છે, આનો ખુલાસો હું નથી કરી શકો.'

અમુક કામોને તમે છેલ્લી ઘડીએ પણ કરી શકો છો - શાહિદ રિઝવી
વળી, મધ્યસ્થતા પેનલના નજીકના સૂત્રો મુજબ આમાં વિશ્વ હિંદુ પરિષદના નિયંત્રણવાળા રામજન્મભૂમિ ન્યાસ, રામલલા અને છ અન્ય મુસ્લિમ પક્ષો, જેમણે અપીલ કરી હતી, તે આ સમજૂતીમાં શામેલ નથી. આ સમજૂતીમાં હિંદુ અખિલ ભારતીય શ્રીરામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ, હિંદુ મહાસભા અને નિર્મોહી અની અખાડાના શ્રીમહંત રાજેન્દ્રદાસ શામેલ છે. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી યુપી સુન્ની વક્ફ બોર્ડ પણ શામેલ છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો છે સુરક્ષિત
આ સેટલમેન્ટમાં મુસ્લિમ પક્ષે રામ મંદિરને યોગ્ય સ્થાન આપવા બદલે અમુક શરતો રાખી છે. સૂત્રો મુજબ એમાં કહેવામાં આવ્યુ છે કે મસ્જિદ ભૂમિને સરકાર તરફથી અધિગ્રહણ કરવા પર સુન્ની વક્ફ બોર્ડને કોઈ વાંધો નથી. સુન્ની વક્ફ બોર્ડે આના બદલામાં એએસઆઈની મસ્જિદને નમાઝ માટે ફરીથી ખોલવાની માંગ કરી છે. સાથે અયોધ્યા મસ્જિદ અને સુન્ની વક્ફ બોર્ડની વૈકલ્પિક મસ્જિદની જાળવણીની પણ માંગ કરવામાં આવી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
