For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તક આપો તો નીતિષ-મોદીને હમળા ગળે મેળવી દઉ: રામદેવ

|
Google Oneindia Gujarati News

nitish modi
પટણા, 8 એપ્રિલ: યોગગુરુમાંથી રાજનેતા બનવાનો પ્રયત્ન કરી રહેલા બાબા રામદેવ હવે 'રાજનૈતિક પંચ' બનવાની તૈયારીમાં છે. રવિવારે તેમણે બે વિરોધાભાસી રાજનૈતિક વિરોધીઓ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શાંતિદૂતની ભૂમિકા નિભાવવાની ઇચ્છા પ્રગટ કરી.

બે દિવસની બિહાર યાત્રા બાદ ઝારખંડ માટે રવાના થતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં રામદેવે જણાવ્યું કે 'જો મારી સેવા લેવામાં આવી તો આ બંને નેતાઓની વચ્ચે મતભેદ દૂર કરવાનો પ્રયાસ કરીશ.'

રામદેવે જણાવ્યું કે તેમનું માનવું છે કે મોદી અને નીતિશે પોતાના રાજનૈતિક અને વૈચારિક મતભેદ ભૂલાવી દેવા જોઇએ. તેમણે જણાવ્યું કે બંને સમાન જાતકના છે અને એક મોટા હેતુ માટે સ્વાભાવિક સહયોગી પણ છે. જોકે રામદેવે એવું પણ જણાવ્યું કે વિકાસ માટે ભારતને મોદીની અને બિહારને નીતિશ કુમારની જરૂરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી બનવાની અભિલાષામાં જેડીયુ નેતા નીતિશ કુમાર સૌથી મોટી અડચણરૂપ છે. નીતિશ કુમારે વારંવાર જણાવ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન તરફથી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને રજૂ કરવાની વાતનો ક્યારેય સ્વીકાર કરશે નહી.

English summary
Yoga guru Baba Ramdev offered to help resolve the differences between Chief Ministers Nitish Kumar of Bihar and Narendra Modi of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X