બાબા રામદેવે પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર
યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે.
નવી દિલ્લીઃ યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને નિતિન ગડકરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા છે. અધિકૃત આંકડાઓ મુજબ કોરોના મહામારી પહેલા આમાં 15-20 ટકાનો વધારો જોવા મળ્યો હતો જે મહામારી બાદ વધીને 50-90% થઈ ગયો છે. આ એક સંકેત છે કે લોકોએ આનો સ્વીકાર કરી લીધો છે.

તમને જણાવી દઈએ કે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે કોરોના વાયરસની એક દવા કોરોનિલ બનાવી હતી પરંતુ બાદમાં તેના પર સવાલ ઉઠ્યા હતા કે તેમણે આ દવાને કોઈ ક્લિનિકલ ટ્રાયલ વિના બજારમાં વેચવા માટે ઉતારી દીધી છે. જ્યારે પતંજલિએ દાવો કર્યો કે તેમણે આની ક્લિનિકલ ટ્રાયલ કરી છે અને કોરોના સંક્રમિત લોકો પર આની સો ટકા સકારાત્મક અસર થઈ છે. બાબા રામદેવના દાવા બાદ ભારત સરકારના આયુષ મંત્રાલયે આના પર જાણવાજોગ લીધી અને કહ્યુ કે મંત્રાલયને આ અંગે કોઈ માહિતી નથી. મંત્રાલયે આ દવાના પ્રચાર-પ્રસાર પર પણ રોક લગાવી દીધી હતી.
આ પહેલા રામદેવે આરોપ લગાવ્યો હતો કે પતંજલિ આયુર્વેદને વિવાદાસ્પદ કોવિડ-19 પ્રતિરક્ષા બુસ્ટર દવા કોરોનિલ માટે પ્રતિદિન 10 લાખ પેકની માંગ મળી રહી છે. ગયા વર્ષે જૂનમાં સ્વામી રામદેવે દાવો કર્યો હતો કે તેમની દવા કોરોના વાયરસથી પીડિત દર્દીઓને ઠીક કરી શકે છે પરંતુ આયુષ મંત્રાલયે આના વેચાણ પર રોક લગાવી દીધી હતી. જો કે બાદમાં મંત્રાલયે એ સુનિશ્ચિત કર્યુ હતુ કે પતંજલિ આ દવાને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચી શકે છે નહિ કે કોરોના વાયરસને ઠીક કરવાની દવા તરીકે. મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે પતંજલિને ચેન્નઈ સ્થિત એક કંપની દ્વારા દાખલ અરજી પર 30 જુલાઈ સુધી કોરોનિલ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી અટકાવી દીધી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
