ગેરેન્ટી સાથે કહુ કે મંદિર-ગુરુકુળમાં ક્યારેય નહિ મળે હશિયાર અને ડ્રગ્ઝઃ બાબા રામદેવ
યોગ ગુરુ બાબા રામદેવે મંદિર-મસ્જિદ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.
યોગ ગુરુ બાબા રામદેવે મંદિર-મસ્જિદ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તે પૂરા દાવા અને ગેરેન્ટી સાથે કહી શકે છે કે જો દેશભરમા બધા ગુરુકુળમાં રેડ કે તપાસ અભિયાન ચલાવવામાં આવે તો ત્યાં કોઈ પણ હથિયાર અને માદક પદાર્થ(ડ્રગ) નહિ મળે.

‘મંદિર-ગુરુકુળમાં નહિ મળે હથિયાર અને ડ્રગ્ઝ'
બાબા રામદેવે કહ્યુ કે બીજાને પણ આ વાતની ગેરેન્ટી આપવી જોઈએ કે મસ્જિદ અને મદરસાઓમાં પણ કંઈ ગેરકાયદેસર નથી થતુ. વાસ્તવમાં બાબા રામદેવે આ નિવેદન પતંજલિ યોગપીઠ દ્વારા સંચાલિત આચાર્યકુલમ વિશે ઉઠેલા આરોપો પર આપ્યુ છે.

‘મસ્જિદ અને મદરસામાં કંઈ પણ ગેરકાયદેસર નથી થતુ'
બાબાએ કહ્યુ કે મને આ બધુ સાંભળીને ઘણુ અટપટુ લાગ્યુ, હું પહેલી વાર આ સાંભળી રહ્યો છુ કે બધા મદરસા અને મંદિરોમાં તાપસ કરો, વૈદિક સ્કૂલો, ગુરુકુળ અને પતંજલિ દ્વારા સંચાલિત આચાર્યકુમલથી લઈને શિશુ મંદિર સુધી બધામાં રેડ થાય, તો હું ગેરેન્ટી આપી શકુ કે દેશના કોઈ પણ મંદિર કે ગુરુકુળમાં હથિયાર કે ડ્રગ્ઝ નહિ મળે, મસ્જિદ અને મદરસામાં કંઈ પણ ગેરકાયદેસર નથી થતુ.

આચાર્યકુલમ છે વૈદિક અને આધુનિક શિક્ષા પર આધારિત સ્કૂલ
તમને જણાવી દઈએ કે આચાર્યકુલમ વૈદિક અને આધુનિક શિક્ષા પર આધારિત સ્કૂલ છે જેને પતંજલિ યોગપીઠ, હરિદ્વાર દ્વારા ચલાવવામાં આવે છે. આ એક આવાસીય શિક્ષણ સંસ્શા છે. બાબા રામદેવે કહ્યુ કે આચાર્યકુલમમાં બાળકોના સારા શિક્ષણ સાથે સારા સંસ્કાર પણ આપવામાં આવે છે. એક વર્ષમાં જ બાળકો વચ્ચે આસમાન જમીનનો ફરક દેખાવા લાગે છે.

‘દેશને હિંદુ-મુસલમાન અને ધાર્મિક ઉન્માદના નામે ના લડાવો'
તેમણે કહ્યુ - આ દેશને હિંદુ-મુસલમાન અને ધાર્મિક ઉન્માદના નામે ના લડાવો, નહી તો દેશ તૂટી જશે, જો દેશ તૂટ્યો બધાને નુકશાન થશે. હું કોઈની આસ્થા પર પ્રહાર નથી કરતો. ના કોઈનાથી ડરુ છુ અને ના કોઈને ડરાવુ છુ. આચાર્યકુલમમાં આવેલા રામદેવે બાળકોને કોરોના વાયરસથી બચવાના ઉપાય પણ બતાવ્યા.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
