બાદલ બોલ્યા- અમારી સરકાર બની તો શહીદ ખેડૂતોના પરિવારને અપાશે નોકરી
પંજાબ વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને રાજકારણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક તકરાર વચ્ચે અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને વચનો આપવાનું શરૂ કરી દીધું છે. અકાલી દળના નેતા સુખબીરસિંહે શુક્રવારે મોટી જાહેરાત
પંજાબ વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને રાજકારણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક તકરાર વચ્ચે અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને વચનો આપવાનું શરૂ કરી દીધું છે. અકાલી દળના નેતા સુખબીરસિંહે શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

સુખબીરસિંઘ બાદલે કહ્યું કે હું પંજાબીઓને ખાતરી આપું છું કે 2022 માં સરકાર બન્યા પછી તરત જ અકાલી દળ અને બસપા મળીને ખેડૂત આંદોલનનાં શહીદ જવાનોના પરિવારની દરેક રીતે સંભાળ લેશે. તેમણે જણાવ્યું હતું કે કિસાન આંદોલનમાં શહીદ થયેલા કુટુંબના સભ્યને સરકારી નોકરી, તેમના બાળકો અને પૌત્રો અને પૌત્ર-પૌત્રોને પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધીના મફત શિક્ષણ અને સમગ્ર પરિવારને આરોગ્ય વીમા કવચ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે કૃષિના ત્રણ કાયદા લાગુ કર્યા પછી જ અકાલી દળ ભાજપ જોડાણથી છૂટા પડ્યા હતા. આ સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા સુધારેલા કૃષિ કાયદામાં અકાલીની મંજૂરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ તે જ કૃષિ કાયદા છે, જેની સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો છ મહિનાથી વધુ સમયથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં અત્યાર સુધીમાં ઘણા ખેડુતોનાં મોત નીપજ્યાં છે. સુખબીર સિંહ બાદલે તે જ મૃત ખેડુતોના પરિવારના મતદારો બનાવવા માટે આ મોટી જાહેરાત કરી છે.
નોંધનીય છે કે અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીએ મળીને 2022 ની પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ બંને પક્ષો મળીને વર્ષ 2020ની ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષો વિરૂદ્ધ હરીફાઈ કરતા જોવા મળશે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
