Badrinath : વૈદિક મત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્યા, જુઓ વીડિયો
અખાત્રિજના પવિત્ર દિવસે બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા છે. અહીં ભક્તો દરવાજા ખુલતાની સાથે જ જયજયકાર કરતા જોવા મળ્યા.
અખાત્રિના દિવસે સવારે છ વાગ્યે ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. દરવાજા ખોલતા પહેલા સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી. આર્મી બેન્ડની ધૂન વચ્ચે બદ્રીનાથને ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારાયુ હતુ.
જણાવી દઈએ કે બદ્રીનાથની પૂજા કરવા માટે 5000 થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ઊંડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બદ્રીનાથ ધામ સંબંધિત વિશેષ બાબતો
આ ધામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. આ મંદિર વિષ્ણુ એટલે કે બદ્રી વિશાલને સમર્પિત છે.
#WATCH उत्तराखंड: बद्रीनाथ धाम के कपाट खुलने के बाद भक्तों ने उत्सव मनाया गया। pic.twitter.com/cqeQ0IaDnl
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
માનવામાં આવે છે કે જે પણ આ ધામના દર્શન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો બરડી વિશાલ ના દર્શન કરી શકતા નથી તેઓએ આ વિશેષ આરતી દ્વારા પોતાના ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જે પણ આ કરશે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
જણાવી દઈએ કે, હિન્દુ ધર્મના ચાર ધામોમાં સામેલ બદ્રીનાથના દર્શન કરવા માટે લાખો લોકો પહોંચે છે. હવે આ ભક્તોનું પુર બદ્રીનાથ આવતુ જોવા મળશે.












Click it and Unblock the Notifications
