'બાલાસાહેબ ઠાકરેએ જો ત્યારે પીએમ મોદીને બચાવ્યા ના હોત તો...', ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યુ નિશાન

રવિવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે જો બાલાસાહેબ ઠાકરેએ પીએમ મોદીને ત્યારે બચાવ્યા ના હોત તો તે અહીં સુધી ના પહોંચ્યા હોત.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જો ત્યારે બાલ ઠાકરેએ બચાવ્યા ના હોત તો તે અહીં સુધી પહોંચ્યા ના હોત. ઠાકરેએ કહ્યુ કે તેમના પિતા અને પાર્ટીના સંસ્થાપક બાલ ઠાકરે હતા જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્યારે બચાવ્યા હતા જ્યારે તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ તેમના રાજધર્મનુ પાલન કરવા માટે કહ્યુ હતુ. ઠાકરેએ કહ્યુ કે શિવસેનાએ 25-30 વર્ષો સુધી એક રાજકીય નેતૃત્વની રક્ષા કરી પરંતુ તેમને(ભાજપ) રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(રાજગ)ના પૂર્વ સહયોગી શિવસેના અને અકાલી દળ જોઈતા ન હતા.

Uddhav Thackeray

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જો બાલ ઠાકરેએ પીએમ મોદીને બચાવ્યા ન હોત તો પીએમ મોદી આટલે સુધી ન આવ્યા હોત. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે દેખીતી રીતે વાજપેયીની તે ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત કોમી રમખાણો પછી 'રાજધર્મ'નુ પાલન કરવાનુ કહેવામાં આવ્યુ હતુ.

સમાચાર એજન્સી પીટીઆઈએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ટાંકીને કહ્યુ કે, 'બાળાસાહેબ ઠાકરેએ જ વર્તમાન વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ને બચાવ્યા હતા જ્યારે અટલજી (તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી) ઈચ્છતા હતા કે તેઓ (નરેન્દ્ર મોદી) 'રાજધર્મ' નિભાવે.' પરંતુ બાળાસાહેબે આને સમયની જરૂરિયાત હોવાનુ કહીને દરમિયાનગીરી કરી હતી. જો એવુ ન થયુ હોત તો તેઓ (PM મોદી) અહીં સુધી પહોંચી શક્યા ન હોત.

ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભગવા પાર્ટી હિન્દુઓમાં તિરાડ ઊભી કરે છે. તેમણે કહ્યુ કે 'તેમની પાર્ટી ભાજપથી અલગ થઈ ગઈ છે પરંતુ તેમણે ક્યારેય હિન્દુત્વ છોડ્યુ નથી, ન તો તેમણે નફરત વિકસાવી નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, ભાજપ હિન્દુત્વ નથી. ઉત્તર ભારતીયો જવાબ માંગે છે કે હિન્દુત્વ શું છે. એકબીજાને ધિક્કારવુ એ હિન્દુત્વ નથી. હિન્દુ હોવાનો અર્થ એ નથી કે મરાઠી હોવુ અને ઉત્તર ભારતીયોને નફરત કરવી. બાલાસાહેબ એવા લોકોની વિરુદ્ધ હતા જેઓ ભારત વિરોધી હતા, પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય.'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે તેમની ગરિમા બચાવવા માટે ભાજપ સાથે જોડાણ તોડ્યું અને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મહા વિકાસ અઘાડી (MVA) બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે પોતાની ગરિમા બચાવવા માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મહા વિકાસ અઘાડી (MVA) બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X