હજુ નહિ શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો, સરકારે 30 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો પ્રતિબંધ
સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે જો કે વંદે ભારત મિશન ચાલુ રહેશે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 36 લાખને પાર પહોંચી ગઈ છે. તેમછતાં અનલૉકની પ્રક્રિયા દેશભરમાં ચાલુ છે. વિદેશમાં ફસાયેલા લોકોને આશા હતી કે અનલૉકના ચોથા તબક્કામાં સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાનોને ફરીથી શરૂ કરી દેશે પરંતુ આમ ન થયુ. સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે જો કે વંદે ભારત મિશન ચાલુ રહેશે.

DGCA તરફથી જારી આદેશ મુજબ ઈન્ટરનેશનલ કૉમર્શિયલ ફ્લાઈટ્સ પર રોક પણ હજુ પ્રતિબંધિત રહેશે. માત્ર તેમના રૂટ્સ પર વિમાનોનું સંચાલન થશે જેના પર ભારત સરકારે સંમતિ આપી દીધી છે. આ સાથે જ આ પ્રતિબંધ કાર્ગો વિમાનો પર લાગુ નહિ થાય જેથી સામાનોનુ સપ્લાય બાધિત ન થાય. વિદેશમાં ફસાયેલા લોકો દેશ પાછા આવવા ઈચ્છે છે તે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટોથી પાછા આવી શકે છે. આના માટે પહેલાથી નિર્ધારિત શરતોનુ પાલન કરવાનુ રહેશે.
અત્યારે વંદે ભારત મિશનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કોની શરૂઆત થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ છઠ્ઠા તબક્કા હેઠળ સરકારી વિમાનન કંપની એર ઈન્ડિયાની 31 ફ્લાઈટો નિશ્ચિત થઈ ગઈ છે. આમાં કેનાડાના ટોરેન્ટો શહેરથી 17 અને વેનકુંવરથી 13 ફ્લાઈટ ઉડાન ભરશે. વળી, ચીનના શાંઘાઈ શહેરથી એક ફ્લાઈટ ઉડાન ભરશે. આ બધી ઉડાનો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી આવશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
