Bandra Stampede : બાંદ્રા રેલવે સ્ટેેશન પર નાસભાગ, 9 લોકોને ઈજા
bandra railway station stampede : મહારાષ્ટ્રના બાંદ્રા રેલવે સ્ટેશન પરથી દિવાળી પહેલા નાસભાગના સમાચાર છે.
અહેવાલો અનુસાર, બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ સર્જાઈ છે અને આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.

ઘટના વિશે માહિતી આપતા BMCએ જણાવ્યુ કે, કે ઉતાવળના કારણે પ્લેટફોર્મ નંબર 1 પર લોકોમાં નાસભાગ મચી ગઈ. જેના કારણે 9 લોકો ઘાયલ થયા છે.
એક નાગરિક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં ચડતી વખતે ઝપાઝપીને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સવારે 5.56 વાગ્યે પ્લેટફોર્મ નંબર 1 પર બની. આ દુર્ઘટના બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરોની મોટી ભીડ પ્લેટફોર્મ પર એકઠા થઈ જતા સર્જાઈ.
જણાવી દઈએ ખે, દિવાળીના તહેવાર પર લોકો ઘરે જવા માટે નીકળી રહ્યાં છે. આ જ કારણ છે કે રેલવે સ્ટેશન પર મુસાફરોની મોટી ભીડ જોવા મળી રહી છે. બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 પર નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના બાદ ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકો જમીન પર પડ્યા છે, લોહી ફેલાયેલું છે. રેલવે પોલીસ કર્મચારીઓ સ્ટ્રેચરની મદદથી લોકોને લઈ જઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવેનો એક જવાન ઘાયલ મુસાફરને ખભા પર લઈ જઈ રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
