15 વર્ષની દીકરીએ પ્રેમી સાથે મળીને પિતાની કરી ક્રૂર હત્યા
બેંગલુરુમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે જ્યાં 15 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી દીધી છે.
બેંગલુરુમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે જ્યાં 15 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી દીધી છે. મૃતક જય કુમાર જૈનની હત્યાના આરોપમાં દીકરી સાથે તેના 18 વર્ષના પ્રેમીની પણ ધરપકડ કરવામાં આવી છે. વળી, પોલિસે જણાવ્યુ કે કઈ રીતે છોકરીએ પોતાના દોસ્તની મદદથી શબને સગેવગે કરવાની કોશિશ કરી. દીકરીએ પિતાની હત્યા કેમ કરી, આ કારણ એથી પણ વધુ ચોંકાવનારુ છે.

પિતાને દૂધમાં નશીલી ગોળી મિલાવીને આપી
જણાવવામાં આવી રહ્યુ છે કે છાત્રાના પિતા તેના અફેરથી નારાજ હતા અને આના માટે છોકરી પણ પિતાથી નારાજ હતી. પિતાએ છોકરીને એ છોકરા સાથે વાત કરવાથી રોકી હતી. દરેક વસ્તુ પર રોક અને બૉયફ્રેન્ડ માટે ટેન્શનમાં રહેતી દીકરીએ પોતાના પિતાને મારવાનો પ્લાન બનાવ્યો. દીકરીએ પિતાને દૂધમાં નશાની ગોળી મિલાવીને આપી દીધી. જ્યારે જય કુમાર સૂઈ ગયા તો છોકરી અને તેના પ્રેમીએ કથિત રીતે તેનુ ગળુ કાપી નાખ્યુ.

ગળુ કાપ્યા બાદ શબને બાળી નાખ્યુ
જો કે ત્યારબાદ પણ બંને આટલેથી અટક્યા નહિ. બંનેએ 41 વર્ષના જયકુમાર જૈનના શબને ઢસડીને બાથરૂમમાં લઈ ગયા અને તેને આગના હવાલે કરી દીધી. જ્યારે પડોશીઓએ ઘરમાંથી ધૂમાડો નીકળતો જોયો તો તેમણે તરત જ પોલિસને આની સૂચન આપી. ત્યારબાદ ફાયરબ્રિગેડને પણ આગ લાગવાની માહિતી આપવામાં આવી. વળી, મોકા પર પહોંચેલી પોલિસ ટીમ તરત જ ઘરમાં દાખલ થઈ.

દીકરીના અફેરથી નારાજ હતા પિતા
ઘરમાં દાખલ થવા પર પોલિસે જોયુ કે જયકુમારનું અડધુ બળેલુ શબ બાથરૂમમાં પડ્યુ હતુ અને તેના પર ચાકૂથી વાર કર્યા બાદ ઘણા ઘા હતા. પોલિસને શક થયો તો તેમણે છોકરી અને તેના પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી. પોલિસની પૂછપરછમાં બંનેએ વિરોધાભાસી નિવેદન આપ્યા તો પોલિસની શંકા વધુ ઘેરી બનવા લાગી. પોલિસે થોડી કડકાઈ બતાવી તો બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો. જય કુમાર રાજસ્થાનના રહેવાસી હતા અને રજનીનગર વિસ્તારમાં તેમની કપડાની દુકાન હતી. જે સમયે આ ઘટના બની એ સમયે જય કુમારની પત્ની અને દીકરો પુડુચેરીમાં કોઈ લગ્ન સમારંભમાં શામેલ થવા ગયા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
