Punjab Election Result 2022: ક્યારેક રાજનીતિના કારણે ભગવંત માનના થયા હતા ડિવૉર્સ, ઈન્ટરવ્યુમાં ખોલ્યા હતા રાઝ
તમે એ નહિ જાણતા હોય કે ક્યારેક રાજનીતિના કારણે તેમને પરિવારવાળાનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો.
ચંદીગઢઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. આપ પાર્ટીએ પંજાબમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીઓ ગુરુવારે 117માંથી 92 સીટો પર કબ્જો કરીને ઐતિહાસિક જીત મેળવી છે. આપે ચૂંટણી પહેલા જ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા અને હવે આ પ્રચંડ જીત બાદ ભગવંત માન રાજ્યની સત્તા સંભાળવા જઈ રહ્યા છે.

રાજનીતિના કારણે પરિવારે છોડ્યો હતો ભગવંત માનનો સાથ
તમને જણાવી દઈએ કે ભગવંત માન પંજાબની રાજનીતિનો મોટો ચહેરો બની ગયા છે. પરંતુ તમે એ નહિ જાણતા હોય કે ક્યારેક રાજનીતિના કારણે તેમને પરિવારવાળાનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં માને જણાવ્યુ હતુ કે આ રાજનીતિના કારણે તેમના ઘરવાળા તેમનાથી દૂર થઈ ગયા અને તેમણે ઘણુ બધુ ગુમાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, 'રાજનીતિના કારણે તે પોતાના પત્ની-બાળકોને સમય આપી શકતા નહોતા અને આ કારણે વર્ષ 2015માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. તેમના બાળકો તેમની સાથે ફોન પર વાત પણ નથી કરતા.'

બે બાળકોના પિતા છે માન
ભગવંક માનના બે બાળકો છે. એક છોકરો અને એક છોકરી છે જે હવે વિદેશમાં રહે છે. ઉલ્લેખનીય છે કે ભગવંત માને પોતાના કરિયરની શરુઆત એક કૉમેડિયન તરીકે કરી હતી. તે ખૂબ સારા સ્ટેજ શોનો હિસ્સો રહ્યા છે. આપ પાર્ટીએ માનને પોતાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તે પંજાબથી આમ આદમી પાર્ટીના એકમાત્ર લોકસભા સાંસદ છે. ભગવંત માને 2014ની લોકસભા ચૂંટણી જીતી હતી.

મા સામે લીધી હતી શપથ કે ક્યારેય દારુ નહિ પીવે
વિવાદો સાથે ભગવંત માનને હંમેશાથી નાતો રહ્યો છે. તેમના પર સંસદમાં દારુ પીને આવવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે એ લોકોના નિશાના પર આવી ગયા હતા પરંતુ વર્ષ 2019માં ભગવંત માનો આમ આદમી પાર્ટીની જનસભામાં પોતાની મા સામે શપથ લીધા કે તે ફરીથી ક્યારેય દારુ નહિ પીવે.
|
અમારા રાષ્ટ્રીય સંયોજન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છુ'
જીત બાદ ભગવંત માને આખા પંજાબનો પોતાનો પરિવાર ગણાવીને કહ્યુ કે, 'અમારા રાષ્ટ્રીય સંયોજન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છુ. હું ખટકર કલાંમાં શપથ લઈશ, આજે સાંજ સુધી જણાવી દેશે કે શપથ ગ્રહણ ક્યારે થશે. કાલે હું માનનીય રાજ્યપાલ સાથે મુલાકાત કરીશ, આજે તેમની સાથે મુલાકાતનો સમય લેવામાં આવશે.' તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં આપે ત્રણ ચતુર્થાંશ સીટો મેળવી. વળી, કોંગ્રેસે 18, શિઅદે 3, ભાજપે 2 અને બસપાએ 1 સીટ જીતી. વળી, એક સીટ અપક્ષે જીતી છે. કેજરીવાલે આ જીત માટે જનતાનો આભાર માનીને કહ્યુ કે આ બદલાવની તૈયારી છે. જનતાએ ઈંકલાબ લાવી દીધો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
