For Quick Alerts
For Daily Alerts
પંજાબ સરકારની નવી પહેલ, સરકારી સ્કૂલોના નર્સરીના છાત્રોને મળશે યુનિફૉર્મ
પંજાબની ભગવંત માન સરકારે રાજ્યની સરકારી સ્કૂલોમાં જુનિયર કેજી અને સીનિયર કેજીમાં ભણતા છાત્રોને યુનિફૉર્મ આપવાનો નિર્ણય કર્યો છે.
ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે 2017થી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જુનિયર કેજી અને સીનિયર કેજી વર્ગોમાં ભણતા બાળકોને ગણવેશ આપવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે જણાવ્યુ કે 2017થી રાજ્યની સરકારી શાળાઓમાં પ્રી-પ્રાયમરી સ્કૂલોમાં ભણતા 3,51,724 બાળકોને યુનિફોર્મ આપવામાં આવશે.
તેમણે કહ્યુ કે આ કામ માટે શિક્ષણ વિભાગ દ્વારા 21.10 કરોડ રૂપિયાની રકમ બહાર પાડવામાં આવી છે. બેન્સે જણાવ્યુ હતુ કે અગાઉ આ બાળકોને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો ન હતો પરંતુ જ્યારે આ બાબત તેમના ધ્યાન પર આવી ત્યારે તેઓએ શિક્ષણ વિભાગને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યુ હતુ. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે પૂર્વ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે રુચિથી ભરપૂર વિશેષ વર્ગખંડો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
Comments
bhagwant mann punjab government punjab aap aam admi party school uniform ભગવંત માન પંજાબ સરકાર પંજાબ આપ આમ આદમી પાર્ટી સ્કૂલ શાળા
English summary
Bhagwant Mann government will give uniform to students of nursery class of Punjab government schools.
Story first published: Friday, February 3, 2023, 11:47 [IST]