ગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાત
ગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાત
નાગપુરઃ લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું વોટિંગ સંપન્ન થઈ ગયા બાદ હવે તમામને રિઝલ્ટનો ઈંતેજાર છે. 23 મેના રોજ મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રમાં આગલી સરકાર કોની બનશે. જો કે ચૂંટણી સંપન્ન થયા બાદ આવેલ મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની વાપસીનું અનુમાન જતાવવામાં આવ્યું છે. એવામાં ભાજપની સાથોસાથ આરએસએમાં પણ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ કારણે જ નાગપુરમાં આરએસએસના મહાસચિવ ભૈયાજી જોશીએ નીતિન ગડકરી સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શું વાત થઈ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, જો કે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ મુલાકાત 23 મેના રોજ આવનાર ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
|
એક્ઝિટ પોલ બાદ ભાજપ-આરએસએમાં હલચલ તેજ
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આરએસએ મહાસચિવ ભૈયાજી જોશીની સાથે દિગ્ગજ ભાજપી નેતા નીતિન ગડકરીની આ મુલાકાતને બહુ મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ આવેલ એક્ઝિટ પોલને લઈ મહત્વની ટિપ્પણી આપી છે. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી. તેમણે આગળ કહ્યું કે એનડીએ સરકારે કરેલ વિકા કાર્યોને કારણે જ ભાજપને ફરી એકવખત સત્તામાં આવવાના સંકેત મળી રહ્યા છે, જો કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી.

એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નહિઃ ગડકરી
ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ આ વાત પીએમ મોદીની બાયોપિકના પોસ્ટર જાહેર થવાના સમયે કહી છે. આ બાયોપિક આ શુક્રવારે એટલે કે 24 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી, પરંતુ સંકેત છે. જ્યારે પીએમ પદને લઈ પૂછવામાં આવેલ સવાલ પર તેમણે કહ્યું કે કેટલીય વાર મેં સ્પષ્ટ કર્યું છે કે પીએમ પદની રેસમાં હું નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી છે, નિશ્ચિત રૂપે તેઓ ફરી એકવાપ પીએમ બનશે.

એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ
વિવિધ એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલમાં એનડીએને 339-365 સીટ, ન્યૂજ 24 ચાણક્ય એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ, સીએનએન-ન્યૂજ 18 IPSOSમાં 336 સીટ, એબીપી ન્યૂજ નીલસન એક્ઝિટ પોલમાં એનડીએને 277 સીટ, ઈન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 300 સીટ, રિપબ્લિક સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 287 સીટ, ન્યૂજ નેશન ચેનલના એક્ઝિટ પોલમાં 282થી 290 સીટ તથા ટાઈમ્સ નાઉ વીએમઆરના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 306 સીટ પર જીત મળી શકે છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
