ભજન ગાયક અનૂપ જલોટાની માનું નિધન, હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા ભજન ગાયક અનૂપ જલોટાની મા કમલા જલોટાનું નિધન થઈ ગયુ છે. શુક્રવારે સવારે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
જાણીતા ભજન ગાયક અનૂપ જલોટાની મા કમલા જલોટાનું નિધન થઈ ગયુ છે. શુક્રવારે સવારે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કમલા 85 વર્ષના હતા. કમલા જલોટા છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. વધતી ઉંમરના કારણે તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ તેમને હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અહીં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ તેમને બચાવી શકાયા નહિ. શુક્રવારે સવારે તેમણે હોસ્પિટલમાં દમ તોડી દીધો.
અનૂપ તરફથી હજુ સુધી માના મોત પર કોઈ નિવેદન આવ્યુ નથી. અનૂપ જલોટા ભજન ગાયક તરીકે ઘણા જાણીતા છે. તેમના ગાયેલા ભજન ખૂબ પસંદ કરવામાં આવે છે. ભજન ગાયકી ઉપરાંત બિગ બૉસ 12માં પણ અનૂપે ભાગ લીધો હતો. તેનાથી તે ટીવી પર ઘણા ચર્ચિત થયા હતા. અનૂપે બિગ બૉસમાંથી બહાર આવ્યા બાદ જણાવ્યુ હતુ કે તે પોતાની માની ઘણા નજીક છે અને શોમાંથી બહાર થયા બાદ પણ સૌથી પહેલા તે મા પાસે ગયા હતા.
આ પણ વાંચોઃ સોનભદ્ર નરસંહારઃ મૃતકોના પરિજનોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને પોલિસે કસ્ટડીમાં લીધા