For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ રામલીલા મેદાનથી મોદી સરકાર સામે હુમલો કર્યો છે. નરેન્દ્ર મોદીએ 2014 માં મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તે વચનોને તેમણે પૂરા કર્યા નહિ.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે આજે ભારત બંધ આપ્યુ છે. કોંગ્રેસના આ ભારત બંધને 21 રાજકીય પક્ષોએ પોતાનું સમર્થ આપ્યુ છે. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે દિલ્હીના રામલીલા મેદાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ જમા થયા છે જેમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, શરદ પવાર, રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ હાજર છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલનો પીએમ મોદી પર હુમલો

રાહુલનો પીએમ મોદી પર હુમલો

રાહુલ ગાંધીએ રામલીલા મેદાનથી મોદી સરકાર સામે હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જનતાએ પીએમ મોદી પર 2014 માં ભરોસો કર્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ 2014 માં મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તે વચનોને તેમણે પૂરા કર્યા નહિ. આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર પીએમ મોદી ચૂપ છે. રાહુલે કહ્યુ કે વધતી મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, રોજગારના મુદ્દે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર તે ચૂપ છે. દેશ તેનો જવાબ સાંભળવા માંગે છે પરંતુ પીએમ મોદી કંઈ બોલતા નથી. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકોમાં ભાગલા પડાવવાની વાત કરે છે અને જાતિ-ધર્મના નામ પર લોકોને લડાવવાની વાતો કરે છે.

આ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહઆ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહ

‘પીએમ મોદી કંઈ બોલતા નથી'

‘પીએમ મોદી કંઈ બોલતા નથી'

મોદી સરકાર પર મોટો હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી માત્ર ભાષણો આપે છે. રાહુલ ગાંધીએ ફરીથી એકવાર રાફેલ મુદ્દે હુમલો કરતા કહ્યુ કે દેશની જનતાના પૈસા ચોરી થયા છે તો તેના માટે પીએમ મોદી જવાબદાર છે. રાહુલ ગાંધીએ નોટબંધી અંગે પણ હુમલો કર્યો અને કહ્યુ કે પીએમ મોદી આજ સુધી નોટબંધીનો ફાયદો બતાવી શક્યા નથી. જીએસટી અંગે તેમણે કહ્યુ કતે વેપાર પર ખરાબ અસર પડી છે.

રાફેલથી લઈ નોટબંધી સુધી ઘેર્યા

રાફેલથી લઈ નોટબંધી સુધી ઘેર્યા

રાહુલ ગાંધીએ કહ્યુ કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર પીએમ મોદીની વાત દેશ સાંભળવા માંગે છે પરંતુ તે ચૂપ છે. તેમણે કહ્યુ કે પીએમ સ્વચ્છ ભારતની વાત કરે છે અને કહે છે કે લાખો શૌચાલય બનાવી દીધા પરંતુ પાણી હોતુ જ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે 2019 માં મોદી સરકારને બધા વિપક્ષી દળો મળીને હરાવવાનું કામ કરશે.

આ પણ વાંચોઃ SC/ST એક્ટના વિરોધથી ડર્યુ ભાજપ? અમિત શાહે રદ કર્યો ઉજ્જૈન પ્રવાસઆ પણ વાંચોઃ SC/ST એક્ટના વિરોધથી ડર્યુ ભાજપ? અમિત શાહે રદ કર્યો ઉજ્જૈન પ્રવાસ

English summary
bharat bandh: congress president rahul gandhi attacks pm modi over fuel price hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X