ચેન્નઈમાં પ્રદર્શનકારી ખેડૂતોએ તોડ્યા બેરીકેડ્ઝ, પોલિસે અટકાયતમાં લીધા, જુઓ Video
ઉત્તર ભારત બાદ હવે તમિલનાડુમાં પણ ખેડૂતોનુ આંદોલન તેજ થઈ ચૂક્યુ છે.
ચેન્નઈઃ ઉત્તર ભારત બાદ હવે તમિલનાડુમાં પણ ખેડૂતોનુ આંદોલન તેજ થઈ ચૂક્યુ છે. ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આજે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના સમર્થનમાં ચેન્નઈના અન્ના સલાઈ વિસ્તારમાં પોલિસ બેરીકેડ્ઝ તોડી દીધા. પ્રદર્શનકારીઓને પોલિસે અટકાયતમાં લઈ લીધા છે. માકપા રાજ્ય સચિવ બાલકૃષ્ણને કહ્યુ કે તમિલનાડુ ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને મોદી સરકાર કાયદા પાછા લેવાનો ઈનકાર કરી રહી છે. સંઘર્ષ ચાલુ રહેશે અને વધુ તેજ થશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આજે સમગ્ર દેશમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધના એલાનના કારણે નોઈડાના રસ્તા પર લાંબો જામ લાગેલો છે. ગુરુગ્રામ હાઈવે પર પણ ગાડીઓની લાંબી લાઈનો લાગેલી છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ ગાઝીપુર બૉર્ડર પર NH-9 અને NH-24 સંપૂર્ણપણે જામ કરી દીધો છે.
દિલ્લી-અમૃતસર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોના ભારત બંધને રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ છે. સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતોએ ભારત બંધનુ આહ્વાન કર્યુ છે. ખેડૂતોએ ગાઝીપુર બૉર્ડર પર પર NH-9 અને NH-24ને જામ કરી દીધો છે.
#WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV
— ANI (@ANI) September 27, 2021