ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે યોગી આદીત્યનાથ સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત, બોલ્યા- જીતવા નહી દઉ
ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને ગરમી વધી ગઈ છે. રાજકીય પક્ષોના ગઠબંધનની સાથે સાથે નેતાઓના અહીંથી ત્યાં જવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીના પ્રવાસો કરવામાં આવી રહ્યા છે અને જાહેર સભાઓ દ્વારા મતદારોને પોતાન
ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને ગરમી વધી ગઈ છે. રાજકીય પક્ષોના ગઠબંધનની સાથે સાથે નેતાઓના અહીંથી ત્યાં જવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીના પ્રવાસો કરવામાં આવી રહ્યા છે અને જાહેર સભાઓ દ્વારા મતદારોને પોતાની તરફેણમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે. આ સિવાય ભીમ આર્મી ચીફે માયાવતીની બસપા સાથે ગઠબંધનની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
'હું યોગીને જીતવા નહીં દઉં, ભલે ગમે તે થાય'
ચંદ્રશેખર આઝાદે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડીશ. ભલે ગમે તે થાય હું યોગીને જીતવા નહીં દઉં. હું અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ અપીલ કરીશ કે તેઓ યોગી વિરુદ્ધ મને સમર્થન આપે.
ચંદ્રશેખરે બસપા સાથે ગઠબંધનની ઈચ્છા વ્યક્ત કરી
ભીમ આર્મી ચીફે કહ્યું, હું ઈચ્છું છું કે અમારું ગઠબંધન માયાવતીની બસપા સાથે હોય. અમે નથી ઈચ્છતા કે બહુજન મતોનું વિભાજન થાય. મેં લોકસભામાં કહ્યું હતું કે હું મોદીજી સામે લડીશ, પરંતુ ત્યારે મારી પાર્ટી ત્યાં નહોતી. હું જાણું છું કે મારી બહેન મને પસંદ નથી કરતી. અમારે કોઈપણ ભોગે યુપીમાં ભાજપને રોકવાની છે.
માત્ર ચૂંટણી વખતે લોકો વચ્ચે જવું એ રાજકારણ નથી
યુપીમાં આ અમારી પ્રથમ ચૂંટણી છે. અમારું સંગઠન મજબૂત બન્યું છે. 403 વિધાનસભા પર અમારી બૂથ કમિટી તૈયાર કરવામાં આવી છે. અમે જનતાના પ્રશ્નો પર કામ કરી રહ્યા છીએ. મને લાગે છે કે માત્ર ચૂંટણી વખતે જ લોકોની વચ્ચે જવું એ રાજકારણ નથી. મારા મતે, જેમણે તમને વોટ આપ્યો છે તેમની આખા પાંચ વર્ષની જવાબદારી લેવી.