ભીમા કોરેગાંવ કેસમાં તપાસ પંચ સામે હાજર થયા શરદ પવાર, જાણો સમગ્ર મામલો
ભીમા કોરેગાંવ કેસમાં એનસીપી પ્રમુખ શરદ પવાર ન્યાયિક તપાસ પંચ સામે હાજર થવા માટે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા છે.
મુંબઈઃ ભીમા કોરેગાંવ કેસમાં એનસીપી પ્રમુખ શરદ પવાર ન્યાયિક તપાસ પંચ સામે હાજર થવા માટે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા છે. માહિતી મુજબ શરદ પવારને મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં યુદ્ધ સ્મારક પર જાન્યુઆરી 2018માં થયેલી હિંસા મામલે પોતાનુ નિવેદન નોંધાવવા માટે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. પંચે પહેલા 2020માં શરદ પવારને સમન પાઠવ્યા હતા પરંતુ તેઓ કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે લગાવવા આવેલ લૉકડાઉનના કારણે તેમની સમક્ષ હાજર થઈ શક્યા નહોતા. બાદમાં પવારને આ વર્ષે 23 અને 24 ફેબ્રુઆરીએ પંચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ.

એનસીપી પ્રમુખ શરદ પવારે એક કહીને નવી તારીખ માંગી હતી કે તે પોતાનુ નિવેદન નોંધાવતા પહેલા એક વધુ સોગંદનામુ દાખલ કરાવવા માંગે છે. હાલમાં જ તેમના તરફથી એક સોગંદનામુ દાખલ કરવામાં આવ્યુ છે. પંચના વકીલ આશિષ સતપુતેએ જણાવ્યુ કે ત્યારબાદ પંચે પવારને સમન પાઠવ્યા અને તેમના પાંચ અને છ મેના રોજ તપાસ પંચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ.
આ પહેલા પણ દાખલ કરી ચૂક્યા છે સોગંદનામુ
એનસીપી પ્રમુખ શરદ પવારે ઓક્ટોબર 2018માં પણ પંચ સામે એક સોગંદનામુ દાખલ કર્યુ હતુ. ફેબ્રુઆરી, 2020માં સામાજિક સમૂહ વિવેક વિચાર મંચના સભ્ય સાગર શિંદેએ પંચ સમક્ષ એક અરજી દાખલ કરીને 2018ની જાતીય હિંસા વિશે મીડિયામાં પવાર દ્વારા આપવામાં આવેલા અમુક નિવેદનોને જોતા તેમને હાજર થવાની માંગ કરી હતી. બે સભ્યોના તપાસ પંચમાં કોલકત્તા હાઈકોર્ટના સેવાનિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જેએન પટેલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિન સુમિત મલિક શામેલ છે.
શું છે સમગ્ર મામલો
પૂણે પોલિસ મુજબ, એક જાન્યુઆરી, 2018ના રોજ કોરેગાંવઃભીમીની 1818ની લડાઈની 200મી વરસી દરમિયાન પૂણે જિલ્લામાં યુદ્ધ સ્મારક પાસે જાતીય સમૂહો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. આમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ અને અન્ય ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા.
Maharashtra | NCP chief Sharad Pawar arrives at Sahyadri Guest House in Mumbai to appear before the Judicial probe commission in the Bhima Koregaon case pic.twitter.com/hTdOf5bOdB
— ANI (@ANI) May 5, 2022












Click it and Unblock the Notifications
