પંજાબ સરકારની મોટી જાહેરાત, રાજ્યમાં રજીસ્ટ્રી માટે હવે એનઓસીની જરૂર નહીં
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે મોટી જાહેરાત કર્યો છે. સરકારે રાજ્યમાં રજીસ્ટ્રી માટે એનઓસીનીની જરૂરિયાતને હટાવી દીધી છે.
મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી લોકોને આપી. તેમણે કહ્યું કે આ નિર્ણય વ્યાપક જનહિતમાં લેવામાં આવ્યો છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

તેમણે કહ્યું કે, હાલમાં રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં લોકોને એનઓસી ન મળવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સીએમ માને કહ્યું કે, આના પરિણામે જમીનની નોંધણી થઈ રહી નથી, જેના કારણે લોકો માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે આપ દી સરકાર, આપ દે દ્વાર પહેલ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને તેમના ઘરે સેવાઓ પૂરી પાડવાનો છે.
ભાંખરપુર ગામમાં એક સભાને સંબોધતા માને કહ્યું કે, લોકોને હવે તેમના નિયમિત વહીવટી કામ માટે સરકારી કચેરીઓમાં જવું પડશે નહીં. સરકારી અધિકારીઓ લોકોના ઘરઆંગણે આવશે અને તેમને સેવાઓ આપશે.
તેમણે કહ્યું કે, આનાથી લોકોને ઘણો ફાયદો થશે. આ પહેલ હેઠળ આ મહિને રાજ્યભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 11,600 થી વધુ શિબિરોની સ્થાપના કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
