કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત

કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, 18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે.

કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા બાળકો અનાથ થયા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે આગળ આવીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના અનાથ બાળકોને 5 લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો નિર્ણય કર્યો છે, જેનું પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડમાંથી ભરવામાં આવશે.

government announcement

કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, 18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, કોવિડથી અસરગ્રસ્ત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે,18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત હેઠળ 5 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.

અનુરાગ ઠાકુરે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર દ્વારા લીધેલા પગલાઓ પર સરકારી વેબસાઇટની લિંક સાથે આ યોજનાની વિગતો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ સાથે, તેમણે એક ફોટો પણ શેર કર્યો, જેના પર લખ્યું છે, 18 વર્ષ સુધીના બાળકો જેમણે તેમના માતાપિતાને ગુમાવ્યા છે તેમને દર મહિને રાહત આપવામાં આવશે. આ સિવાય 23 વર્ષની ઉંમરે આ બાળકોને 10 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે 29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો માટે પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ બાળકોને મદદ કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ એવા બાળકોની સંભાળ રાખવાનો છે જેમણે 11 માર્ચ 2020 પછી કોરોનામાં તેમના માતાપિતા અથવા કાનૂની માતાપિતા ગુમાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X