કોંગ્રેસને લાગશે મોટો ઝટકો, જ્યોતિરાદિત્ય સિંધિયા બનાવી શકે છે નવી પાર્ટી
કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની નવી પાર્ટી બનાવી શકે છે. આ સંકેત તેમના સાથી ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભિ થઇ શકે છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીના મોટા નેતાઓ અલગ થઇ શકે છે. અહી મોટા રાજકીય ઉલટફેર થવાની સંભાવના હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા અને પાર્ટીનો ચહેરો જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસથી અલગ થઇ શકે છે.
કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની નવી પાર્ટી બનાવી શકે છે. આ સંકેત તેમના સાથી ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને સિંધિયાના સમર્થક સુરેશ રથખેડાએ દાવો કર્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની નવી પાર્ટી બનાવી શકે છે. સુરેશ રથખેડા કહે છેકે પહેલા મને નથી લાગતું કે મહારાજ સાહેબ કોંગ્રેસ છોડશે. ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના નેતા ખૂબ પસંદ કરે છે. ધારાસભ્ય રથખેડાએ કહ્યું કે અમને લાગી રહ્યું છેકે તેઓ કોંગ્રેસ છોડશે. પરંતુ તે પણ છે કે તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે નહીં.
Pohari MLA Suresh Rathkheda: First of all, I don't think Srimant Maharaj Sahab (Jyotiraditya Scindia) will leave Congress as I do not think he will ever join another party. He can start his own party, such is his strength in Madhya Pradesh. 1/2 (27.11) pic.twitter.com/6xQGhKK5os
— ANI (@ANI) November 27, 2019
તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે, મધ્યપ્રદેશમાં તેઓ લોકપ્રિય છે. ધારાસભ્ય રથખેડાએ જણાવ્યું હતું કે જો તેઓ નવો પક્ષ રચે છે તો હું પહેલા જોડાઈશ. તેમણે કહ્યું કે પાર્ટી સર્વોચ્ચ છે, પરંતુ મારા માટે સિંધિયા સાહેબ પહેલા આવે છે. તેમણે કહ્યું કે આજે જે પણ હુ બન્યો છુ તેના માટે હું તેમનો આભારી છું. તમને જણાવી દઈએ કે સિંધિયાએ થોડા દિવસો પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમનુ સ્ટેટસ બદલી નાખ્યું છે. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો કોંગ્રેસને મધ્ય પ્રદેશમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, તેની રાષ્ટ્રીય રાજકારણ પર અસર પણ નિશ્ચિત છે.
Suresh Rathkheda, Congress MLA from Pohari: And if Srimant Maharaj Sahab does so, I will be the first one to follow him. The party is supreme, but for me Srimant Maharaj Sahab comes first. I am thankful to him for whatever I have become today. #MadhyaPradesh 2/2 (27.11) https://t.co/gtq8xEOkS8
— ANI (@ANI) November 27, 2019
આ પણ વાંચો: શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ, સુરક્ષા પર HCએ વ્યક્ત કરી ચિંતા