ચિરાગ પાસવાનની અપીલ, ભાજપને જ આપો મત, ભાજપ-લોજપા જ બનાવશે સરકાર
લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં ભાજપ અને લોજપા મળીને સરકાર બનાવશે.
પટનાઃ ભારતીય જનતા પાર્ટીને મત આપવા અને ભ્રમ પેદા કરતા આરોપો બાદ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં ભાજપ અને લોજપા મળીને સરકાર બનાવશે. ચિરાગ પાસવાને અપીલ કરી છે કે ભાજપના સમર્થનમાં તેમના પાર્ટીના સમર્થક મત આપે. લોજપા પ્રમુખ ચિરાગ પાસવાને શનિવારે(17 ઓક્ટોબર) પાંચ સીટો પર ભાજપ સાથે 'મૈત્રી લડાઈ' થશે, જ્યાં તેણે પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે. શનિવારે અમિત શાહે કહ્યુ કે એનડીએના સીએમ નીતિશ કુમાર જ હશે.

ચિરાગ પાસવાન બોલ્યા - ભાજપ-લોજપા મળીને યુવા બિહાર નવુ બિહાર બનાવશે
લોજપા પ્રમુખ ચિરાગ પાસવાને શનિવારે(17 ઓક્ટોબર) ટ્વિટ કરીને લખ્યુ, જમુઈ વિધાનસભાથી ભાજપ ઉમેદવાર નાની બહેન શ્રેયશી સિંહને અઢળક શુભકામનાઓ આપી. લોજપાના બધા કાર્યકર્તાઓને અપીલ છે કે શ્રેયસીની મદદ કરે. ભાજપ ઉમેદવાર અને લોજપા ઉમેદવાર જ મળીને યુવા બિહાર નવુ બિહાર બનાવશે. જેડીયુને આપેલ એક પણ મત શિક્ષકો લાઠી ખાવા મજબૂર કરશે.
|
અમિત શાહ બોલ્યા - ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લોજપાનો
સીએનએન ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે શનિવાર(17 ઓક્ટોબરે) કહ્યુ કે ચિરાગ પાસવાન શું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે, એ તો એ જાણે છે. પરંતુ બિહારમાં અમારા સીએમ તો નીતિશ કુમાર જ હશે. જો ભાજપને વધુ સીટ મળે તો પણ સીએમ નીતિશ જ હશે. અમિત શાહે કહ્યુ, 'કોઈ જો, તોની વાત નથી. નીતિશ કુમાર બિહારના આગલા મુખ્યમંત્રી હશે. અમે સાર્વજનિક ઘોષણા કરી છે અને અમે આ વિશે પ્રતિબદ્ધ છે. લોજપા વિશે અમિત શાહે કહ્યુ કે લોકજનશક્તિ પાર્ટીની પૂરતી સંખ્યામાં સીટોની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તે નથી માનતા. ચિરાગ પાસવાન તૈયાર નથી. ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય એમનો હતો, અમારો નહિ.'

પ્રકાશ જાવડેકરે લોજબાને કહ્યુ, 'મત કટવા પાર્ટી'
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે લોજપાને હાલમાં જ વોટ કટવા પાર્ટી ગણાવ્યા હતા. પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ, બિહારમાં લોજપાએ પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો છે અને તે અમારાથી અલગ થઈને ચૂંટણી લડી રહ્યા છે. લોજપા ભાજપના વરિષ્ઠ નેતાઓનુ નામ લઈને તે ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને ખોટી નિવેદનબાજી પણ કરી રહ્યા છે. ભાજપની કોઈ પણ બીજી ટીમ નથી. બિહારમાં ભાજપ, જેડીયુ, અમે અને વીઆઈપી ચાર પાર્ટીઓ ગઠબંધન છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
