ચિરાગ પાસવાનની અપીલ, ભાજપને જ આપો મત, ભાજપ-લોજપા જ બનાવશે સરકાર
લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં ભાજપ અને લોજપા મળીને સરકાર બનાવશે.
પટનાઃ ભારતીય જનતા પાર્ટીને મત આપવા અને ભ્રમ પેદા કરતા આરોપો બાદ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં ભાજપ અને લોજપા મળીને સરકાર બનાવશે. ચિરાગ પાસવાને અપીલ કરી છે કે ભાજપના સમર્થનમાં તેમના પાર્ટીના સમર્થક મત આપે. લોજપા પ્રમુખ ચિરાગ પાસવાને શનિવારે(17 ઓક્ટોબર) પાંચ સીટો પર ભાજપ સાથે 'મૈત્રી લડાઈ' થશે, જ્યાં તેણે પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે. શનિવારે અમિત શાહે કહ્યુ કે એનડીએના સીએમ નીતિશ કુમાર જ હશે.

ચિરાગ પાસવાન બોલ્યા - ભાજપ-લોજપા મળીને યુવા બિહાર નવુ બિહાર બનાવશે
લોજપા પ્રમુખ ચિરાગ પાસવાને શનિવારે(17 ઓક્ટોબર) ટ્વિટ કરીને લખ્યુ, જમુઈ વિધાનસભાથી ભાજપ ઉમેદવાર નાની બહેન શ્રેયશી સિંહને અઢળક શુભકામનાઓ આપી. લોજપાના બધા કાર્યકર્તાઓને અપીલ છે કે શ્રેયસીની મદદ કરે. ભાજપ ઉમેદવાર અને લોજપા ઉમેદવાર જ મળીને યુવા બિહાર નવુ બિહાર બનાવશે. જેડીયુને આપેલ એક પણ મત શિક્ષકો લાઠી ખાવા મજબૂર કરશે.
|
અમિત શાહ બોલ્યા - ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લોજપાનો
સીએનએન ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે શનિવાર(17 ઓક્ટોબરે) કહ્યુ કે ચિરાગ પાસવાન શું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે, એ તો એ જાણે છે. પરંતુ બિહારમાં અમારા સીએમ તો નીતિશ કુમાર જ હશે. જો ભાજપને વધુ સીટ મળે તો પણ સીએમ નીતિશ જ હશે. અમિત શાહે કહ્યુ, 'કોઈ જો, તોની વાત નથી. નીતિશ કુમાર બિહારના આગલા મુખ્યમંત્રી હશે. અમે સાર્વજનિક ઘોષણા કરી છે અને અમે આ વિશે પ્રતિબદ્ધ છે. લોજપા વિશે અમિત શાહે કહ્યુ કે લોકજનશક્તિ પાર્ટીની પૂરતી સંખ્યામાં સીટોની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તે નથી માનતા. ચિરાગ પાસવાન તૈયાર નથી. ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય એમનો હતો, અમારો નહિ.'

પ્રકાશ જાવડેકરે લોજબાને કહ્યુ, 'મત કટવા પાર્ટી'
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે લોજપાને હાલમાં જ વોટ કટવા પાર્ટી ગણાવ્યા હતા. પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ, બિહારમાં લોજપાએ પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો છે અને તે અમારાથી અલગ થઈને ચૂંટણી લડી રહ્યા છે. લોજપા ભાજપના વરિષ્ઠ નેતાઓનુ નામ લઈને તે ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને ખોટી નિવેદનબાજી પણ કરી રહ્યા છે. ભાજપની કોઈ પણ બીજી ટીમ નથી. બિહારમાં ભાજપ, જેડીયુ, અમે અને વીઆઈપી ચાર પાર્ટીઓ ગઠબંધન છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
