Bihar election 2025 : તેજસ્વી યાદવના બહિષ્કારથી બિહાર વિધાનસભા ચૂંટણી અટકી જશે? જાણો શું કહે છે બંધારણ?
Bihar election 2025 : બિહારના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચ્યો છે. આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે લોકશાહીના પાયાના સ્તંભ મતદાર યાદી પર જ ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ 56 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગુમ હોવાનું બહાર આવ્યું છે, જેના આધારે હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ આંકડો હવે રાજકીય યુદ્ધનું મુખ્ય કારણ બની ગયો છે.

તેજસ્વી યાદવ અને મહાગઠબંધન આને એક સુનિયોજિત મત ચોરી ગણાવી રહ્યા છે. તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો આવી જ સ્થિતિ રહેશે, તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. વિપક્ષનું આ વલણ માત્ર રાજકીય હલચલ જ નથી વધારી રહ્યું, પરંતુ એવો પ્રશ્ન પણ ઉભો કરી રહ્યું છે કે જો મુખ્ય વિરોધ પક્ષો ચૂંટણીમાંથી બહાર થઈ જાય તો શું લોકશાહી જોખમમાં મુકાઈ જશે?
શું આવા સંજોગોમાં ચૂંટણીઓ ટાળી શકાય? ચાલો જાણીએ કે ભારતનું બંધારણ, ચૂંટણી પંચ અને દેશની લોકશાહી આ પરિસ્થિતિને કેવી રીતે જુએ છે.
બિહાર વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે જણાવ્યું કે, બધું નક્કી થઈ ગયું છે, બેઈમાની કરવી જ છે, ખુલ્લેઆમ બેઈમાની કરવાની છે, મતદાર યાદીમાંથી લાખોના નામ કાપી નાખવાના છે. જ્યારે બેઈમાની જ કરવાની છે તો અમે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવા પર વિચાર કરી શકીએ છીએ.
તેજસ્વી યાદવ અને મહાગઠબંધન દ્વારા ચૂંટણી બહિષ્કારની ચેતવણી બાદ સવાલ ઉભો થાય છે કે, શું ખરેખર કોઈ મોટા ગઠબંધનના બહિષ્કારથી ચૂંટણીઓ ટળી શકે? શું લોકશાહી અટકી શકે? આનો જવાબ આપણને ભારતીય બંધારણ અને ચૂંટણી પંચના અધિકારોમાં મળે છે.
ભારતીય બંધારણનો અનુચ્છેદ 324 ચૂંટણી પંચને દેશભરમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ ચૂંટણીઓ કરાવવાની સત્તા આપે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી લડે કે ન લડે, ચૂંટણી પંચે નિર્ધારિત સમય પર ચૂંટણી કરાવવી જ પડે છે. આ અધિકારમાં કોઈપણ પ્રકારની રાજકીય પરિસ્થિતિઓ અવરોધ બની શકતી નથી.
જો વિપક્ષ ચૂંટણી ન લડે તો?
- કાયદો આ માટે પણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. જો વિપક્ષ, જેમ કે બિહારમાં મહાગઠબંધન ચૂંટણી લડવાનો ઇનકાર કરે,તો પણ ચૂંટણીઓ રદ કરી શકાતી નથી.
- ચૂંટણી પંચની જવાબદારી ચૂંટણી કરાવવાની છે, નહીં કે કેટલી પાર્ટીઓ ભાગ લઈ રહી છે તે જોવાની.
- જો માત્ર સત્તાધારી પક્ષ જ પોતાના ઉમેદવારો ઊભા રાખે, અથવા કેટલાક અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોય, તો પણ ચૂંટણી કરાવવામાં આવશે.
- જો કોઈ બેઠક પર માત્ર એક જ ઉમેદવાર નામાંકન કરે, તો તેને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવશે.
શું ચૂંટણી રદ થઈ શકે?
બંધારણમાં ચૂંટણીઓ રદ કરવાની જોગવાઈ ફક્ત વિશેષ સંજોગોમાં જ છે.
- ગંભીર હિંસા
- કુદરતી આફત
- ચૂંટણી પ્રક્રિયામાં મોટો અવરોધ
રાજકીય બહિષ્કાર અથવા કોઈ ગઠબંધન દ્વારા ચૂંટણી ન લડવાને ચૂંટણી રદ કરવાનો આધાર માનવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે બહિષ્કારથી ચૂંટણી પ્રક્રિયાની વૈધતા પર અસર થતી નથી, જ્યાં સુધી ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને કાયદા અનુસાર હોય.
બિહારમાં જો મહાગઠબંધન ખરેખર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરે છે, તો તે એક મોટી રાજકીય ઘટના હશે. પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ પહેલીવાર નહીં હોય જ્યારે વિરોધ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હોય કે ચૂંટણીમાં ભાગ ન લીધો હોય. જો કે, એવું બહુ ઓછું બન્યું છે કે તમામ મોટા વિરોધ પક્ષો એકસાથે ચૂંટણી છોડી દે, છતાં કેટલાક ઉદાહરણો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
