Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિહાર વિધાનસભામાં આજે NDA સરકારનો ફ્લોર ટેસ્ટ, શાહનવાઝ હુસેને લગાવ્યો મોટો આરોપ

Bihar Floor Test: આજે 12 ફેબ્રુઆરી સોમવારનો દિવસ બિહારની રાજનીતિ માટે એક મોટો દિવસ બનવા જઈ રહ્યો છે. બિહાર વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન NDA સરકારને ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા હંગામો વધુ તીવ્ર બન્યો છે. તેજસ્વી યાદવની આરજેડી અને સીએમ નીતિશ કુમારની જેડીયુ દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. બંને પક્ષો પોતપોતાના ધારાસભ્યોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

nitishkumar

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. આ દરમિયાન ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે તેજસ્વી યાદવે ધારાસભ્યોનું અપહરણ કર્યું છે, આવી સ્થિતિમાં પોલીસ ચોક્કસપણે તેમનું કામ કરશે.

શાહનવાઝ હુસૈને કહ્યું કે જો તમે ધારાસભ્યોનું અપહરણ કરો અને ધારાસભ્યના ભાઈ પોલીસમાં ફરિયાદ કરે તો શું પોલીસ નિષ્ક્રિય બેસી રહેશે? કોઈપણ ધારાસભ્યને ઘરમાં બાંધીને રાખશો તો પોલીસ હાથ પર હાથ ધરીને બેસી નહિ રહે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

આરજેડી અને કોંગ્રેસ પાસે કોઈ આંકડો નથી, આ લોકો માત્ર ભ્રમ ફેલાવી રહ્યા છે. અમે વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરીશું તેમાં શંકાને કોઈ અવકાશ નથી. અમારી પાસેના આંકડાઓથી જેઓ આશાવાદી છે તેઓ નિરાશ થશે. અમારા આંકડાઓ અમારી સંખ્યા કરતા વધી જશે.

જ્યારે શાહનવાઝ હુસૈનને પૂછવામાં આવ્યું કે એનડીએના કેટલાક ધારાસભ્યો ગુમ છે અને તેમના ફોન બંધ છે, ત્યારે શાહનવાઝે કહ્યું કે દરેક વ્યક્તિ સંપર્કમાં છે, કોઈ નૉટ રિચેબલ નથી. માત્ર મૂંઝવણ સર્જાઈ રહી છે. કોઈએ કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ. એનડીએના ધારાસભ્યો એક થઈ ગયા છે. આરજેડી અને કોંગ્રેસના ધારાસભ્યો ગાયબ છે, તેઓએ પોતાની ચિંતા કરવી જોઈએ.

નોંધનીય છે કે ગયા મહિને નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને ફરી એકવાર NDAનો ભાગ બન્યા હતા. તેમણે રેકોર્ડ 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આજે નીતિશ કુમારે પોતાની સરકારની બહુમતી સાબિત કરવાની છે.

નીતિશ કુમારે 28 જાન્યુઆરીએ મહાગઠબંધન સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 18 મહિના સુધી મહાગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું. પરંતુ પછી તેમણે આરજેડી અને કોંગ્રેસથી અલગ થઈને એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો. નીતિશે કહ્યું કે મને મારા સમર્થકો તરફથી સતત સૂચનો મળી રહ્યા હતા, ઘણા લોકોના સૂચનોને ધ્યાનમાં લઈને મેં આ નિર્ણય લીધો છે.

આજે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા જેડીયુના ધારાસભ્યોને પટનાની ચાણક્ય હોટલમાં રાખવામાં આવ્યા છે. જેડીયુ આજે યોજાનારી મોટી પરીક્ષાને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આજે બિહારમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો ફ્લોર ટેસ્ટ છે. ધારાસભ્યોને ચાણક્ય હોટલમાં શિફ્ટ કરવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે જેડીયુના ધારાસભ્યો પટનાની ચાણક્ય હોટલમાં જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિહારમાં કુલ 243 વિધાનસભા સીટો છે. જદયુ પાસે 45 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 79 અને HAM પાસે 4 સીટો છે. આવી સ્થિતિમાં નીતિશને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આથી આ આંકડો 128 સુધી પહોંચે છે, જે સંપૂર્ણ બહુમતીના આંકડા કરતાં ઘણો વધારે છે. એનડીએને કુલ 128 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે મહાગઠબંધન પાસે 115 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમત માટે 122 ધારાસભ્યોની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X