Bihar Political Crisis: નીતિશ કુમારે ના ઉઠાવ્યો લાલુનો ફોન, ભાજપ સાથે મિલાવી શકે છે હાથ!
Bihar Political Crisis: બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્ય મંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનમાંથી અલગ થઈને ભાજપમાં ફરી જોડાય તેવી શક્યતા છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે નીતિશ કુમારે આરજેડી સાથેના સંબંધો તોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની અટકળો વચ્ચે લાલુ પ્રસાદ યાદવે સીએમ નીતિશને પાંચ વખત ફોન કર્યો. પરંતુ સીએમ નીતિશે એક પણ વાર જવાબ ન આપ્યો. આટલું જ નહીં, બેચેન લાલુ પ્રસાદે સીએમ નીતિશની લેન્ડલાઈન પર ફોન પણ કર્યો, પરંતુ સીએમ નીતિશે લાલુ સાથે વાત કરવાની ના પાડી.

નીતિશ કુમાર 28મી જાન્યુઆરીએ તેમના નવમાં કાર્યકાળ માટે ફરીથી મુખ્ય મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે ભાજપના નેતા સુશીલ કુમાર નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે તેમ ઇન્ડિયા ટુડેના સૂત્રોએ જણાવ્યું હતું.
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વરિષ્ઠ નેતાઓ સુશીલ મોદી અને વિજય કુમાર સિંહા અને અમિત શાહ સહિત પાર્ટીના ટોચના અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 28 જાન્યુઆરીએ બિહારમાં મોટો ખેલ થઈ શકે છે.
JDU ધારાસભ્ય ગોપાલ મંડલે આરોપ લગાવ્યો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનમાં "સન્માન" આપવામાં આવી રહ્યું નથી, જેમાં રાજદ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે. ગોપાલ મંડલે એવો પણ દાવો કર્યો હતો કે નીતિશ કુમાર "પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ગઠબંધન બદલવા"ની યોજના બનાવી રહ્યા છે.
ગોપાલ મંડલે કહ્યું, "અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ (નીતિશ કુમાર) જ્યાં પણ જશે, અમે તેમનુ કહેવુ કરીશું. લોકો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. તેમનું અસ્તિત્વ જોખમમાં હતું. તેમનું સન્માન નહોતું થયું, તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું."












Click it and Unblock the Notifications
