નિતીશની હેટ્રીક અને મોદીને પીએમ બનાવનાર એક જ વ્યક્તિ?
જી હા, મિત્રો તમે સાચુ સાંભળ્યુ...આજે ફરી એકવખત નિતીશ કુમાર સીએમ બનવામાં સફળ થયા છે તો તેની પાછળ એજ વ્યક્તિનું દિમાગ છેકે જેમણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાસનમાં ગાબડા પાડીને ગુજરાતના સીએમને પીએમ બનાવ્યા. જેના કારણે ભારતથી લઇને અમેરિકા સુધી ચર્ચા થાય છેકે આખરે કેવી રીતે એક ચા વેચવાવાળાનો પુત્ર પીએમ બન્યો.
શું તમે જાણવા માંગો છોકે તે શખ્સ કોણ છે...તો સાંભળો તે વ્યક્તિનું નામ છે, પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીના રણનિતીકાર હતા, પરંતુ આ વખતે પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી મોદીની સાથે નહીં પણ નિતીશ કુમારની સાથે હતા, અને પરિણામો તમારી સામે છે.
નિતીશની સફળતા પાછળ પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે નવી પદ્ધતિથી નિતીશ કુમાર અને તેમના ગઠબંધન માટે પ્રચારનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. ત્યારે આવો આગળની સ્લાઇડ્સ દ્વારા જાણીએ કે આખરે તેમણે કેવી રીતે બ્રાન્ડીંગની સ્ટ્રેટેજી ઘઢી હતી.....

કેસરીયાના બદલે લાલ-પીળા
પ્રશાંત કિશોરે કહ્યું કે જ્યારે કોઇ પણ વસ્તુને તડક ભડક સાથે રજૂ કરવામાં આવે તો લોકો તેનાથી જલ્દી આકર્ષિત થાય છે. તેથી તેમણે ભાજપના ભગવા રંગની સામે નિતીશ-લાલુ માટે લાલ-પીળા રંગનો ઉપયોગ કર્યો.

સોશ્યિલ મિડીયા
પ્રશાંત ભૂષણે ચૂંટણી માટે બુથ સ્તરના આંકડાઓનું વિશ્લેષણ, મતદારોને આકર્ષિત કરનાર અભિયાન, સ્વયંસેવકોની વ્યવસ્થા અને સોશ્યિલ મિડીયા પર લોકોને જોડવાનું કામ કર્યું છે.

માંઝીને હટાવ્યા
સમાચાર તો ત્યાં સુધી છેકે પ્રશાંત ભૂષણે જ નિતીશ કુમાર પર જોર કર્યું હતુ કે તેઓ જીતન રામ માંઝીને સીએમ પદ પરથી હટાવે. કારણ કે માંઝી તેમના માટે ખતરા સમાન હતા.

બિહારનું બ્રાન્ડીંગ
કિશોરે પાછલા છ મહિનામાં નિતીશ કુમારને પાર્ટીના ચહેરા તરીકે પ્રસ્થાપિત કરી દીધા સાથે જ સરકાર, સુશાસન, વિકાસ અને બિહારનું બ્રાન્ડીગ પણ કરી નાખ્યું.

મોદી પર ભારે પડ્યા નિતીશ
પ્રશાંત કિશોરે નિતીશને ફરી એકવખત સામાન્ય લોકોના નેતા તરીકે પ્રચારીત કર્યા. અને તેમનો આ પ્રચાર મોદીની લોકપ્રિયતા પર ભારે પડ્યો.

ઘરે ઘરે દસ્તક
પ્રશાંત કિશોરે જ નિતીશ કુમારને કહ્યું હતુ કે ઘરે ઘરે દસ્તક વાળુ અભિયાન ચલાવે. અને તેનો ફાયદો નિતીશને થયો.

ટીવી અને પેપરમાં એડ નહિં
ટીવી અને પેપર્સમાં ભાજપની જેમ પ્રચાર ન કર્યો. પરંતુ નિતીશ લોકોના ઘરે ઘરે જઇને મળ્યા. લોકોને મળ્યા અને પ્રચાર કર્યો. આ પ્રશાંતનું જ દિમાગ હતુ.

ભાજપને થઇ ગેરસમજ
જાહેરાતો દ્વારા ભાજપને ગેરસમજણ થઇ ગઇ કે તે જીતી રહ્યું છે, અને ભાજપ ઓવરકોન્ફીડન્સમાં રહ્યું.

નિતીશ અને લાલુ મંચ પર એકસાથે નહીં
પ્રશાંત કિશોરે નક્કી કર્યું કે નિતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રેલી અને સભાઓમાં એકસાથે ઉપસ્થિત ના રહે. કારણ કે બંનેની સ્ટાઇલ અલગ હતી. તેમના શ્રોતા પણ અલગ અલગ હતા. અને બંને નેતાની જાતિગત પકડ પણ જુદી જુદી હતી.

અમિત શાહના કારણે ભાજપમાં અવગણના
કહેવામાં આવી રહ્યું છેકે આ ચૂંટણી નિતીશ કુમાર કરતા અમિત શાહ માટે પ્રતિષ્ઠાની જંગ હતી. કારણ કે મોદીના પીએમ બન્યા બાદ તેમની પક્ષમાં ઘણી અવગણના થઇ રહી હતી. જી હા, જીતનો શ્રેય પીએમે તેમની જગ્યાએ અમિત શાહને આપ્યો. આ અવગણનાના કારણે જ પ્રશાંત કિશોરે ભાજપનો સાથ છોડી નિતીશ સાથે હાથ મિલાવ્યો હતો
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
