તેજસ્વી યાદવના કાફલાની ગાડીનો પૂર્ણિયામાં ભયાનક અકસ્માત, ડ્રાઈવરનુ મોત, 10 લોકો ઘાયલ
Bihar Tejashwi Yadav News: લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં 'જન વિશ્વાસ યાત્રા' કાઢી રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવના કાફલાના વાહનને સોમવારે રાત્રે ભયાનક અકસ્માત નડ્યો હતો. તેજસ્વીના કાફલા સાથે જોડાયેલા એક વાહનને પૂર્ણિયામાં અકસ્માત નડ્યો હતો, જેમાં વાહન ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, અકસ્માત પૂર્ણિયાના મુફસિલ પોલીસ સ્ટેશનના બેલૌરી પાસે થયો હતો, જ્યાં આરજેડી નેતા તેજસ્વી યાદવના કાફલામાં સામેલ એક એસ્કોર્ટ વાહનની કાર સાથે જીવલેણ ટક્કર થઈ હતી, જેમાં વાહનના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત પૂર્ણિયામાં બિલોરી પેનોરમા હાઇટ પાસે થયો હતો, જ્યાં તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રાના કાફલાની કાર કાબૂ બહાર ગઈ હતી, ડિવાઈડર તોડીને બીજી લેનમાં જઈ રહેલી કાર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં એસ્કોર્ટ કારના ડ્રાઈવર મોહમ્મદ હલીમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, તેમજ અન્ય કારમાં મુસાફરી કરી રહેલા 4 લોકો પણ ઘાયલ થયા હતા.
હાલમાં તમામ ઘાયલ જવાનોને પૂર્ણિયા જીએચસીએચમાં સારવાર આપવામાં આવી રહી છે. તમામ ઘાયલોમાં 5 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતક ડ્રાઈવર મોહમ્મદ મધુબની જિલ્લાના ટોપ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પૂર્ણિયાના એસપી ઉપેન્દ્ર નાથ વર્મા પૂર્ણિયા જીએમસીએચ પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી.
તમને જણાવી દઈએ કે તેજસ્વી યાદવ સોમવારે પૂર્ણિયા, અરરિયા, કિશનગંજની જન વિશ્વાસ યાત્રા પર આવ્યા હતા. આવી સ્થિતિમાં રાત્રે સાડા દસ વાગ્યે પૂર્ણિયાથી કટિહાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.












Click it and Unblock the Notifications
