બીજેપીએ મહાકુંભ માટે 10000 બુરખા ખરીદ્યા : દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશ પહોંચેલા દિગ્લવિજય સિંહે મંગળવારે પત્રકારો સાથે ચર્ચા કરતા ખરીદવામાં આવેલા બુરખાઓની એક પહોંચ પણ દર્શાવી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ઇન્દોરથી 10,000 બુરખા ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બુરખાઓની કિંમત 44 લાખ રૂપિયા છે. તેમાથી 42 લાખ બુરખાઓનું પેમેન્ટ થઇ ગયું છે.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો છે કે આ બુરખાઓને દિલીપ બિલ્ડકોન કંપની સાથે સંબંધ ધરાવનારા દેવેન્દ્ર જૈને ખરીદ્યા છે. ઇન્દોરથી ખરીદવામાં આવેલા બુરખાઓ મુસ્લિમ મહિલાઓને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભોપાલમાં ભાજપે 25 સપ્ટેમ્બરના રોજ કાર્યકર્તા મહાકુંભનું આયોજન કર્યું છે. આ મહાકુંભમાં ભાગ લેવા માટે ભાજપના વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં ભાજપના 50,000 મુસલમાન આવવાના છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 5000 મુસ્લિમ મહિલાઓ પણ હશે.
દિગ્વિજય સિંહે જે વ્યક્તિ પર બુરખા ખરીદનાનો આરોપ લગાવ્યો છે તે એક વરિષ્ઠ પોલીસ અધિકારીનો ભાઇ પણ છે. બીજી તરફ દિલિપ બિલ્ડકોન અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની નજદીકી કોઇનાથી છુપી નથી. દિલીપ બિલ્ડકોનના માલિક દિલીપ સૂર્યવંશીને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પણ પડી ચૂક્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
