બે પુર્વ મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે બીજેપી
કર્ણાટકમાં બીજેપીને હરાવીને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો હતો. હવે બીજેપી લોકસભા ચૂંટણીમાં તેના બે પુર્વ મુખ્યમંત્રીને મેદાનમાં ઉતારી શકે છે.
બીજેપી માટે કર્ણાટકમાં તેના દેખાવનું પુનરાવર્તન કરવું અથવા તેનાથી પણ વધુ સારું કરવું મહત્વપૂર્ણ છે. આ વિના આ વખતે 400 પારનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે.

આ જ કારણ છે કે બીજેપી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં કેટલાક મોટા નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
કર્ણાટકના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નામ ભાજપના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે તેમાં બસવરાજ બોમાઈ અને જગદીશ શેટ્ટરનો સમાવેશ થાય છે. આ બંને પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાંથી આવે છે, જેને પાર્ટી પોતાની કોર વોટ બેંક માને છે.
બીએસ યેદીયરપ્પાએ ગુરુવારે જણાવ્યું કે, રાજ્યની તમામ 28 બેઠકો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ચર્ચા કરવામાં આવી છે, પરંતુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
યેદિયુરપ્પા ભાજપની સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ બંનેના સભ્ય છે. યેદિયુરપ્પાએ કહ્યું કે, ગઈકાલે અમિત શાહજી, નડ્ડાજી અને અમે બધાએ સાથે મળીને તમામ 28 લોકસભા સીટોના ઉમેદવારો અંગે ચર્ચા કરી હતી. કોને ટિકિટ આપવી તે હજુ નક્કી થયું નથી. વડાપ્રધાન સાથે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે અને બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
તેમણે વધુમાં કહ્યું કે, બધું જ ચર્ચા કરવામાં આવ્યું પરંતુ ટિકિટ કોને અને ક્યાંથી આપવામાં આવશે તે હજી નક્કી થયું નથી. બોમાઈ અને જગદીશ શેટ્ટર વિશે પણ ચર્ચા થઈ.
કર્ણાટક ભાજપમાં એવી પણ ચર્ચા છે કે શિગગાંવ સીટના ધારાસભ્ય બોમાઈ હાવેરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. હાવેરીના વર્તમાન સાંસદ શિવકુમાર ઉદાસીએ આગામી ચૂંટણીમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
જ્યારે શેટ્ટર બેલગામથી મેદાનમાં ઉતરી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ આંગડીની પત્ની મંગળા આંગડી હાલમાં અહીંથી સાંસદ છે. તેમના પતિના અવસાન પછી 2021 માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતીશ જરકીહોલી સામે 5 હજારથી થોડા વધુ મતોથી ચૂંટણી જીતી હતી.












Click it and Unblock the Notifications
