મિશન 2014 માટે ભાજપ તૈયાર, 15 પેનલ સંભાળશે પ્રચાર અભિયાન!
નવી દિલ્હી, 18 જુલાઇ: સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની નીચે કામ કરવાના બદલે 15 જોનલ ચૂંટણી પેનલ હેઠળ રાષ્ટ્રીય સ્તરે નેતાઓની જવાબદારી સોંપવામાં આવી રહી છે. જેથી તેમની વચ્ચે મુકાબલાને પણ વિરામ લાગી જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી ભાજપના ચૂંટણી ઘોષણાપત્રના પ્રમુખ હશે. તેમની મદદ માટે ભાજપના નેતા યશવંત સિન્હા અને જસવંત સિંહ હોઇ શકે છે.
એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીની અધ્યક્ષતામાં પેનલ ચૂંટણી સંચાલન પર ધ્યાન રાખશે. તેમની જવાબદારી કાર્યક્રમ લાગૂ કરવ અને તાલમેળ કમિટીને જોવાની રહેશે.

યુવા સોશિયલ મીડિયા અને પ્રચાર માટે એક પણ કમિટી બનાવવાની પણ યોજના છે. કહેવામાં આવે છે કે આરએસએસ દ્વારા આ બાબતને લીલી ઝંડી મળી ગઇ છે. એમપણ કહેવામાં આવે છે કે ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમની ભૂમિકા શું રહેશે.












Click it and Unblock the Notifications
