ચૂંટણી પહેલા AAPના 4 મોટા નેતાઓને જેલ મોકલવાની તૈયારીમાં ભાજપઃ આતિશીનો મોટો ખુલાસો
Arvind Kejriwal: દારૂ નીતિ મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટી (AAP) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલની બેરેક 2માં રાખવામાં આવ્યા છે. હવે મંગળવારે આપ નેતા આતિષીએ મોટો ખુલાસો કર્યો છે.
તેમણે કહ્યું કે હવે ભાજપનો ઈરાદો લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના આગામી 4 મોટા નેતાઓની ધરપકડ કરવાનો છે. મારી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકની ધરપકડ કરશે. બીજેપીને આશા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તૂટી જશે અને વિખેરાઈ જશે કારણ કે આપના તમામ વરિષ્ઠ નેતાઓ જેલમાં છે.

આતિશીએ વધુમાં કહ્યું કે તે ભાજપને કહેવા માંગે છે કે અમે તમારી ધમકીઓથી ડરતા નથી. અમે કેજરીવાલના સૈનિક છીએ, અમે ભગત સિંહના માર્ગ પર ચાલવાના છીએ. અમે ડરતા નથી. તમારા કોઈપણ લોકોને જેલમાં નાખો. અમે હંમેશા લડવા માટે આગળ આવીશું.
આતિશીએ એમ પણ કહ્યું કે મારા ઘર અને મારા સંબંધીઓના ઘર પર ED દરોડા પાડશે. સમન્સ મોકલવામાં આવશે. સમન્સ મોકલ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મારે ભાજપને કહેવું જોઈએ કે તેઓ તમારી ધમકીઓથી ડરશે નહીં. છેલ્લા શ્વાસ સુધી કેજરીવાલના નેતૃત્વમાં કામ કરતા રહીશું.
Senior AAP Leader and Minister @AtishiAAP Addressing an Important Press Conference l LIVE https://t.co/FUYF5DcF9j
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 2, 2024












Click it and Unblock the Notifications
