કુતરા-બિલાડીની જેમ લડે છે ભાજપના નેતાઓ : મણિશંકર ઐય્યર

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મણિશંકર ઐય્યરે પોતાના પદની ગરિમા અને મર્યાદાને નેવે મૂકીને ભાજપના નેતાઓને આરએસએસની કટપૂતળી ગણાવ્યાં હતા. તેમને કહ્યું હતું કે ભાજપમાં વડાપ્રધાન પદ મેળવવાની હોડ લાગી છે, દરેક જણ વડાપ્રધાન બનવાની લાલસામાં એકબીજાને પછાડવા માંગે છે આ ઉપરાંત તે કુતરાં-બિલાડીની જેમ લડતાં રહે છે.
આ પહેલાં પણ ઘણીવાર કોંગેસ નેતા મણિશંકર ઐય્યર પોતાની કાળી જુબાનના કારણે મશહૂર થઇ ચૂક્યા છે. ડીઝલના ભાવવધારા મુદ્દે મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે દેશની જનતા એક કોડી પણ આપવા માંગતી નથી. થોડાં દિવસો પહેલાં મણિશંકર ઐય્યરે ભાજપના નેતાઓને જાનવર ગણાવતાં કહ્યું હતું કે ભાજપના નેતા સંસદમાં આવીને જાનવરો જેવો વહેવાર કરે છે.












Click it and Unblock the Notifications
