Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુતરા-બિલાડીની જેમ લડે છે ભાજપના નેતાઓ : મણિશંકર ઐય્યર

mani-shankar-aiyar
જયપુર, 19 જાન્યુઆરી: આપણા નેતાઓ ભાષાના મુદ્દે કેટલાક સહજ છે તેનું અવારનવાર ઉદારહરણ મળતું રહે છે. કોંગેસ નેતા મણિશંકર ઐય્યર હંમેશ પોતાના વિવિદાસ્પદ નિવેદનના લીધે ચર્ચામાં રહે છે. કોંગેદની ચિંતન શિબિર દરમિયાન ફરી એકવાર મણિશંકર ઐય્યરે પોતાના પદની ગરિમા અને પોતાની ભાષાની મર્યાદાને ગુમાવી બેઠા છે. વિપક્ષી પાર્ટી ભાજપ પર નિશાન સાંધતાં તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ વડાપ્રધાન પદ માટે કુતરાં-બિલાડી માટે ઝઘડતાં રહે છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મણિશંકર ઐય્યરે પોતાના પદની ગરિમા અને મર્યાદાને નેવે મૂકીને ભાજપના નેતાઓને આરએસએસની કટપૂતળી ગણાવ્યાં હતા. તેમને કહ્યું હતું કે ભાજપમાં વડાપ્રધાન પદ મેળવવાની હોડ લાગી છે, દરેક જણ વડાપ્રધાન બનવાની લાલસામાં એકબીજાને પછાડવા માંગે છે આ ઉપરાંત તે કુતરાં-બિલાડીની જેમ લડતાં રહે છે.

આ પહેલાં પણ ઘણીવાર કોંગેસ નેતા મણિશંકર ઐય્યર પોતાની કાળી જુબાનના કારણે મશહૂર થઇ ચૂક્યા છે. ડીઝલના ભાવવધારા મુદ્દે મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે દેશની જનતા એક કોડી પણ આપવા માંગતી નથી. થોડાં દિવસો પહેલાં મણિશંકર ઐય્યરે ભાજપના નેતાઓને જાનવર ગણાવતાં કહ્યું હતું કે ભાજપના નેતા સંસદમાં આવીને જાનવરો જેવો વહેવાર કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X