થરૂરની વિરૂદ્ધ બીજેપી સાંસદોએ સ્પિકરનો લખ્યો પત્ર, સંસદીય પેનલ પ્રમુખ પદથી હટાવવા ઉઠી માંગ
ફેસબુક પર ચાલી રહેલા વિવાદમાં ભાજપના સાંસદોએ હવે શશી થરૂર વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. સંસદસભ્યોએ માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ પદે થરૂરને હટાવવાની માંગ કરી છે. સમ
ફેસબુક પર ચાલી રહેલા વિવાદમાં ભાજપના સાંસદોએ હવે શશી થરૂર વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. સંસદસભ્યોએ માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ પદે થરૂરને હટાવવાની માંગ કરી છે. સમિતિના સદસ્ય અને ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે એએનઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પત્ર લખ્યો છે.
સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલલે એક લેખ લખીને આક્ષેપ કર્યો હતો કે ફેસબુક ભારતમાં નફરતનાં ભાષણને લઈને શાસક ભાજપના નેતાઓ પર નરમ વલણ અપનાવે છે. આ કેસમાં સંસદની માહિતી ટેકનોલોજી બાબતો સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક ટ્વિટમાં લખ્યું છે કે, આ મામલે સમિતિ ફેસબુક પર તેના વિશે સુનાવણી કરવા માંગશે. થરૂરના આ નિવેદનનો નિશિકાંત દુબે સહિત ભાજપના ઘણા સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદોનું કહેવું છે કે થરૂરે સભ્યો સાથે બોલ્યા વિના મીડિયામાં આવું નિવેદન ન આપવું જોઈએ.
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા નિવેદનમાં ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે થરૂર પર નિયમો તોડવાનો આરોપ લગાવ્યો હતો. રાઠોડે કહ્યું હતું કે "અમે કોઈ પ્રતિનિધિને બોલાવવા વિરુદ્ધ નથી પરંતુ થરૂર અમે સભ્યો સાથે વાત કરવાને બદલે મીડિયા સાથે વાત કરી રહ્યા છે."
આ પણ વાંચો: સરકારે વધારી એવિએશન સિક્યોરીટી ફીસ, 1 સપ્ટેમ્બરથી કરાશે લાગુ