ગાંધીનગર જીત્યા બાદ AAP પર તૂટ્યા પાટિલ, બોલ્યા- જે ગરજ્યા તે વરસ્યા નહીં
રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. વોર્ડ નંબર 7 (કોલવાડા, વાવોલ)માં સૌથી વધુ 66.93 ટકા મતદા
રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. વોર્ડ નંબર 7 (કોલવાડા, વાવોલ)માં સૌથી વધુ 66.93 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 5 (પંચદેવ)માં સૌથી ઓછા મતદાનની ટકાવારી નોંધાઇ હતી, જે 35.86 ટકા છે. ગાંધીનગર મનપામાં બીજેપીની જીત બદલ કમલમ ખાતે ઉજવણી કરાઇ રહી છે.

આ મામલા ભાજપના નેતાઓ તરફની નિવેદનો સામે આવ્યા છે. આ મામલે ભાજપના નેતા સીઆર પાટીલે આપ પર કટાક્ષ કર્યો છે. સીઆર પાટીલે કહ્યું કે જેઓ બહું ગરજ્યા તે વરસ્યા નહી. આ મામલે સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સીઆર પાટીલે મને કહ્યું કે 3 સીટ ઓછી કેમ આવી. મારૂ માનવું છેકે બધાએ 182 પ્રમાણે ચાલવાનું છે. રાજેન્દ્ર ભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે જનતાને ભાજપ પર વિશ્વાસ હતો જેથી અમારી જીત થઇ છે. અમે કોરોનાના કપરા કાળમાં પણ લોકોની મદદ કરી જેથી લોકોએ અમારામાં વિશ્વાસ જતાવી અમને વિજયી બનાવ્યા છે.
ઉલ્લેખનિય છેકે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ટોટલ 44 સીટમાંથી બીજેપીએ 41 જીતી લીધી છે. આ ઉપરાંત કોંગ્રેસે 02 તથા આપને 01 સીટ પર જીત મળી છે. ઓખા નગરપાલિકાની કુલ 36 સીટમાંથી બીજેપીને 34 તથા કોંગ્રેસને 02માં જીત મળી છે. બનાસકાંઠાની કુલ 24 સીટમાંથી બીજેપીની 20 સીટ પર જીત તથા કોંગ્રેસને 04 સીટ પર જીત મેળવી છે.












Click it and Unblock the Notifications
