પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પેદા થનાર બાળકોને અપાશે સોનાની વીંટી! જાણો કેટલી હશે કિંમત
17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના તમિલનાડુ એકમ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.
નવી દિલ્લીઃ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના તમિલનાડુ એકમ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. જેના માટે તમિલનાડુ ભાજપ એકમ નવજાત બાળકોને સોનાની વીંટીઓનુ વિતરણ કરશે. આ ઉપરાંત 720 કિલો માછલીનુ વિતરણ કરવાની અન્ય યોજનાઓ પણ છે. મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને ગુરુવારે જણાવ્યુ હતુ કે, 'અમે ચેન્નાઈમાં સરકારી RSRM હૉસ્પિટલની ઓળખ કરી છે અને નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.'

મંત્રી એલ મુરુગને આ પહેલની કિંમત અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે, 'તે લગભગ 2 ગ્રામ સોનાની પ્રતિ વીંટી હશે જે લગભગ 5000 છે.' પાર્ટીના સ્થાનિક યુનિટે તે દિવસે સ્પેશિયલ હૉસ્પિટલમાં આશરે 10-15 ડિલિવરીનો અંદાજ લગાવ્યો છે. આ એક ફ્રીબી નથી. તેમણે કહ્યુ કે તે દિવસે જન્મેલા બાળકોનુ સ્વાગત કરીને અમે ફક્ત આપણા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરુણ સિંહ દ્વારા 30 ઓગસ્ટના રોજ મોકલવામાં આવેલા ત્રણ પાનાંના પત્ર મુજબ તમામ રાજ્યોને અગાઉના વર્ષોમાં આયોજિત કાર્યક્રમોની જેમ આ પ્રસંગને 'સેવા પખવાડિયા' તરીકે ચિહ્નિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ અંતર્ગત પ્રવૃત્તિઓમાં રક્તદાન અને તબીબી તપાસ શિબિરનો સમાવેશ થાય છે. પાર્ટી નેતૃત્વએ કડક શબ્દોમાં કહ્યુ હતુ કે કેક કાપવી નહીં અને હવન પણ કરવો નહિ.
મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને કહ્યુ કે, 'પીએમ મોદી આ વર્ષે 72 વર્ષના થશે. મંત્રીએ કહ્યુ, 'અમે 720 કિલો માછલી આપવા માટે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના મતવિસ્તારની પસંદગી કરી છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત્સ્ય સંપદા યોજના (PMSY) યોજના માછલીના વપરાશને પ્રોત્સાહન આપે છે અને તેથી અમે તેનુ વિતરણ કરી રહ્યા છીએ. જો કે, અમે જાણીએ છીએ કે પીએમ શાકાહારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તટીય સફાઈ દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે.
-
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
