For Quick Alerts
For Daily Alerts
કેન્દ્ર સામે મમતાના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપનો ટેકો
શનિવાર, 6 ઑક્ટોબર, 2012ના રોજ દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રની યુપીએ સરકારને ઘેરવા અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ રણનીતિના ભાગરૂપે ભાજપે મમતા બેનરજીના અવિશ્વાસ પ્રસ્તાવને ભાજપ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે જો તૃણમૂલ કોંગ્રેસ લોકસભામાં સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તો ભાજપ ટીએમસીનું સમર્થન કરશે. આ ઉપરાંત વીમા, પેન્શન, એફડીઆઇના સરકારના નિર્ણય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કર્ણાટકમાં સર્જાયેલી સ્થિતિ અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી, પણ પક્ષ કોઇ નક્કર નિર્ણય પર પહોંચ્યો ન હતો.
Comments
mamata benarjee bjp upa no confidence motion tmc fdi મમતા બેનરજી ભાજપ યુપીએ અવિશ્વાસ પ્રસ્તાવ ટીએમસી એફડીઆઇ
English summary
BJP will support Mamata Banerjee's no confidence motion.
Story first published: Sunday, October 7, 2012, 12:40 [IST]