પીએમ મોદીના જન્મદિવસે અડધી રાતે કાપવામાં આવ્યો 69 કિલોનો લાડુ, જાણો ક્યાં...
રાતે 12 વાગે રાજધાની દિલ્લીના ઈન્ડિયા ગેટ પર દિલ્લી ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની આગેવાનીમાં પીએમ મોદીને પ્રશંસકોએ આ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ 69 વર્શના થઈ ગયા છે. સોમવારે રાતથી દેશના ઘણા ભાગોમાં પીએમ મોદીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ભાજપ, પીએમ મોદીનો જન્મદિવસ દેશભરમાં સેવા દિવસ તરીકે મનાવી રહ્યુ છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં છે.

દિલ્લીમાં ઉજવણી
પરંતુ આ પહેલા રાતે 12 વાગે રાજધાની દિલ્લીના ઈન્ડિયા ગેટ પર દિલ્લી ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીની આગેવાનીમાં પીએમ મોદીને પ્રશંસકોએ આ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી. આ દરમિયાન કેક નહિ પરંતુ 69 કિલોનો લાડુ કાપીને પ્રશંસકોએ પોતાના પ્રિય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના આપી.

આ છે કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આજે પોતાની માના આશીર્વાદ લેવા પહેલા ઘરે જશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના મા 98 વર્ષના છે અને તે પોતાના નાના પુત્ર પંકજ મોદી સાથે રાયસીન ગામમાં રહે છે. ત્યારબાદ પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ પણ જશે. ત્યારબાદ ગરુડેશ્વર ગામમાં સ્થિત દત્તાત્રેય મંદિરમાં દર્શન બાદ પીએમ મોદી કેવડિયામાં લોકોને સંબોધિત પણ કરશે કે જે અમદાવાદથી લગભગ 200 કિલોમીટર દૂર છે.

નમામિ નર્મદા મહોત્સવ
આ દરમિયાન પીએમ મોદી નમામિ નર્મદા મહોત્સવની પણ શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે આ સરદાર સરોવર ડેમનું નિર્માણ 131 અર્બન સેન્ટરના 9633 ગ્રામીણોને પીવાનુ પાણી આપવાના હેતુથી બનાવવામાં આવ્યુ છે. આની મદદથી 18.54 હેક્ટર ખેતરોની સિંચાઈનુ જળ મળશે કે જે 15 જિલ્લાઓના 3112 ગામો સુધી પહોંચશે.












Click it and Unblock the Notifications
