For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાકેશ ટિકૈતે કહ્યું, 'સુરક્ષામાં ખામી કે ખેડૂતોનો ગુસ્સો? તેની તપાસ થવી જોઈએ'

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાતમાં સુરક્ષામાં ખામી હતી કે, ખેડૂતોમાં ગુસ્સો હતો, તેની તપાસ થવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાતમાં સુરક્ષામાં ખામી હતી કે, ખેડૂતોમાં ગુસ્સો હતો, તેની તપાસ થવી જોઈએ. ટિકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતોના આંદોલનના સમયથી ખેડૂતોમાં મોદી સરકાર પ્રત્યે ભારે નારાજગી છે અને તેઓ ભાજપના કાર્યકરો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેની તપાસ થવી જોઈએ કે, શું ખરેખર સુરક્ષામાં ખામી હતી કે, ખેડૂતો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.

rakesh tikait

રાકેશ ટિકૈતે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. તેમણે હિન્દીમાં ટ્વીટ કર્યું હતું કે, 'ભાજપ દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિના કારણે રેલી રદ્દ કરવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ખાલી ખુરશીઓની વાત કરીને વડાપ્રધાનના પરત આવવાનો દાવો કરી રહ્યા છે. હવે રિટર્ન સિક્યુરિટીમાં ક્ષતિ છે કે, ખેડૂતોનો રોષ છે તેની તપાસ થવી જરૂરી છે.

PM મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા

નિવેદન અનુસાર 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ, તે રોડ દ્વારા મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે, કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ બાદ વડાપ્રધાન મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પંજાબ મુલાકાત દરમિયાન 42,750 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. તેઓ કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવાના હતા. આ માટે તેઓ બુધવારના રોજ ફિરોઝપુરમાં કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. એન ખાતે તેમના કારના કાફલાને હાઇવે બ્લોક મળ્યો અને પ્રદર્શનકારીઓ તેમની પાસે પહોંચ્યા હતા. તેઓ કેટલાક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મોદી ત્યાં લગભગ 15 મિનિટ રોકાયા અને બાદ પાછા ફર્યા હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું કે, 'તમારા મુખ્યમંત્રીનો આભાર કે, હું જીવતો પાછો ફરી શક્યો.'

ભાજપ ખેડૂતોના ગુસ્સાને શાંત કરવામાં વ્યસ્ત

પંજાબમાં કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કાયદાઓ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ આંદોલનમાં 700 જેટલા મૃત્યુને કારણે ખેડૂતોનો ગુસ્સો ચાલુ છે. તેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામની ગણતરી કરી રહી છે. જેમાં કરતારપુર કોરિડોર ખોલવું, શીખ વિરોધી રમખાણોના આરોપીઓ સામે કાર્યવાહી, GSTમાંથી લંગરને મુક્તિ, અફઘાનિસ્તાનમાંથી શીખોની પરત ફરવું વગેરેનો સમાવેશ થાય છે.

English summary
BKU leader Rakesh Tikait says there was a security lapse or the farmers anger, One needs to investigate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X