જાણો: માસૂમ બાળકની બલિ આપનાર પાડોશી સાથે ગ્રામજનોએ શું કર્યું?
21મી સદીના ભારતમાં દેશના અનેક ભાગોમાં એવા પણ કિસ્સા બની રહ્યાં છે જે અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. આંધ્રપ્રદેશમાંથી અંધશ્રદ્ધાની હદ કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. જે સાંભળીને તમને પણ ધૃણા થઇ જશે. જી હા, આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી તાંત્રિક વિદ્યા અને જાદુટોણાથી પ્રેરાઈને એક માનવ બલિનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પાડોશીએ માત્ર 5 વર્ષના બાળકની હત્યા કરી નાખી છે.

આ ઘટના વોલેટીવરીપલેમ મંડળના પોકુર ગામમાં બની છે. જ્યાં હત્યાનો મામલો પ્રકાશમાં આવતા ગ્રામજનોએ આરોપી તીરમલા રાવને મારી મારીને આગ લગાડી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં આ નરાધમ કૃત્ય કરનાર આરોપીની હાલત ગંભીર જાણવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
