શગુનની માટલીઓ માંથી નીકળ્યું કઈંક આવું, દુલ્હને લગ્ન કરવાની ના પાડી
ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક દુલ્હને લગ્ન કરવાની ના પાડી. આ પછી જાન દુલ્હન વગર જ પાછી ફરી.
ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક દુલ્હને લગ્ન કરવાની ના પાડી. આ પછી જાન દુલ્હન વગર જ પાછી ફરી. હકીકતમાં, લગ્ન દરમિયાન ચઢાવ રિવાજમાં છોકરાના પક્ષ તરફથી આવનારી પાંચ કાચી માટલીઓ માંથી કોલસો અને હળદરની ગાંઠો નીકળવાથી કન્યા પક્ષના લોકો ભડકી ઉઠ્યા. ટોના-ટોટકાની વાત કહી લગ્ન કરવાની ના પાડી દીધી.

મામલો શું છે
મીડિયા અહેવાલો અનુસાર, ઉન્નઓ કોતવાલી વિસ્તારમાં એક ગામમાં રવિવારે સાંજે જાન આવી હતી. જ્યારે બધી રસમો પછી ચઢાવ રિવાજમાં છોકરા પક્ષમાંથી આવતી પાંચ કાચી માટલીઓને જયારે ખોલવામાં આવી, ત્યારે કોલસો અને હળદરની ગાંઠો નીકળી.જણાવી દઈએ કે હિન્દુ રિવાજ પ્રમાણે માટલીમાં શગુનની વસ્તુઓ લાઈ, બંગડી વગેરે રાખવામાં આવે છે. માટલીઓમાં કોલસા અને હળદરની ગાંઠો નીકળવા પર દુલ્હન પક્ષે આપત્તિ જતાવી અને ટોના-ટોટકાની વાત કરવા લાગ્યા.

બગડી ગઈ બાબત
કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી આ બાબત વધુ ખરાબ થઈ ગઈ. આ પર બંને પક્ષોમાં સમાધાનને લઈને પંચાયત શરૂ થઈ હતી. પંચાયત રાતથી લઈને સવાર સુધી ચાલી. આ પછી પણ છોકરી લગ્ન માટે રાજી ન થઇ તો, બંને પક્ષોએ સવારે એકબીજા સાથે સમાધાન કરી લીધું. આ પછી દુલ્હન વગર વરરાજા પરત ફર્યા. દુલ્હન વગર પાછી આવેલી જાન ચર્ચાઓનો મુદ્દો બન્યો છે. તે જ સમયે, કોતવાલ અતુલ તિવારીએ કહ્યું કે આ મુદ્દો તેમની જાણકારીમાં આવ્યો નથી.

ગામમાં ચર્ચાઓ થઈ રહી છે
દુલ્હન વગર પાછી આવેલી જાન ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની છે. જાન પાછી આવવા પર લોકો વિવિધ પ્રકારની વાતો કરે છે. આ પ્રકારનો બનાવ ગામમાં પ્રથમવાર થયો હતો. લોકો કહે છે કે માટલીઓમાં શગુનની વસ્તુઓ જેવી કે લાઇ, બંગડી વગેરે રાખવામાં આવે છે, પરંતુ કોલસાને આ રીતે રાખવાથી શંકાની સ્થિતિ ઊભી થાય છે.












Click it and Unblock the Notifications
