સર્ચના નામે મહિલાઓને ખોટી રીતે સ્પર્શે છે બીએસએફના જવાન: ઉદયન ગુહા
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સીમા સુરક્ષા દળના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. મંત્રી પાર્થ ચેટર્જીએ પશ્ચિમ બંગાળમાં BSFના કાર્યક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સીમા સુરક્ષા દળના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. મંત્રી પાર્થ ચેટર્જીએ પશ્ચિમ બંગાળમાં BSFના કાર્યક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્રના નિર્ણય સામે પ્રસ્તાવ મૂક્યો હતો. જે લાંબી ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ધારાસભ્ય ઉદયન ગુહા દ્વારા BSF જવાનો દ્વારા મહિલાઓ સાથે ખરાબ વર્તનની વાત પર ચર્ચા દરમિયાન હંગામો થયો હતો.

દરખાસ્ત પર ચર્ચા દરમિયાન રાજ્યની દિનહાટા વિધાનસભાના શાસક પક્ષ ટીએમસીના ધારાસભ્ય ઉદયન ગુહાએ કહ્યું, "જ્યારે મહિલાઓ સરહદ પાર કરે છે, ત્યારે BSFના જવાનો તેમને શોધના નામે અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. તેઓ ભલે ગમે તેટલી ભારત માતા કી જય બોલે, પરંતુ તેઓ દેશભક્ત ન હોઈ શકે. ઉદયન ગુહાના આ નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને લાંબા સમય સુધી તેના પર હોબાળો થયો હતો. ભાજપના નેતાઓએ હોબાળો મચાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યવાહીનો બહિષ્કાર કરીને બહાર આવ્યા હતા.
બીએસએફ અધિકારી તરફથી ટીએમસી ધારાસભ્યના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહેવામાં આવ્યું છે કે બીએસએફ એક પ્રોફેશનલ ફોર્સ છે જે હંમેશા નિયમોનું પાલન કરીને કામ કરે છે. મહિલાઓની શોધખોળ કરનારા બીએસએફના મહિલા રક્ષકો છે. બીએસએફના જવાનો દ્વારા મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને BSFના કાર્યક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્રના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારનું આ પગલું રાજ્યના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ છે. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વિધાનસભામાં ઠરાવ લાવવાનો નિર્ણય કર્યો.
પંજાબમાં પણ ભારે વિરોધ
કેન્દ્ર સરકારના આ પગલાને અન્ય સરહદી રાજ્ય પંજાબમાં પણ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ અનેક વખત ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીને આ આદેશ પાછો ખેંચવા વિનંતી કરી છે. તેની સામે ચન્ની સરકારે વિધાનસભામાં ઠરાવ પણ પસાર કર્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
