Budget 2024 : સુર્યઘર યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત, જાણો વિગતે
Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. આ જાહેરાતોમાં સુર્યઘર યોજનાનો પણ ઉલ્લેખ છે.
23મી જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય માણસ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના એક કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે.

સરકારે ભૂતકાળમાં ઘણી વખત સૂર્ય ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો છે. દેશભરના એક કરોડ લોકોને તેમના ઘરની છત પર સૌર ઉર્જા પેનલ લગાવીને મફત વીજળી આપવાની કેન્દ્ર સરકારની આ એક મોટી યોજના છે.
કેવી રીતે અરજી કરવી?
- સૂર્ય ઘર યોજના હેઠળ અરજી કરવા તમે સત્તાવાર વેબસાઇટ www.pmsuryaghar.gov.in પરથી ઑનલાઇન અરજી કરી શકો છો.
પીએમ સૂર્યોદય યોજના 2024 માટે લાયકાત
- પીએમ સૂર્યોદય યોજનાના લાભો મેળવવા માટે, અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
- આ યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે.
- અરજી કરનાર વ્યક્તિનું પોતાનું રહેઠાણ હોવું આવશ્યક છે. યોજના માટે અરજી કરવા માટે અરજદાર પાસે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ.












Click it and Unblock the Notifications
