રાજ્યસભાની 12 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી, 3 સપ્ટેમ્બરે થશે મતદાન
Rajya Sabha elections 2024: રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠકો પર 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી દળો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી શક્યતા છે.
આ ઉપરાંત તેલંગાણાની રાજ્યસભાની બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે.
આ સિવાય એનડીએ અન્ય તમામ બેઠકો જીતે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 9 રાજ્યોની 12 સીટો પર આ પેટાચૂંટણી યોજાશે. જેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની બે-બે બેઠકો, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠકો પર 3 સપ્ટેમ્બરના રોજ જ મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
