CAA Law : જાણો CAA કાયદા સાથે જોડાયેલા 10 મહત્વની બાબત
CAA Law : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એટલે કે CAA માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર દેશમાં CAA કાયદો લાગુ થઈ ગયો છે.

CAA ને નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ અહેવાલમાં આપણે CAA Law સાથે જોડાયેલી 10 મોટી વાતો વિશે જાણીશું.
કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર, 15 મે, 2024 ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જાહેર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 14 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
CAA પ્રમાણપત્ર જાહેર કર્યા બાદ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
કેન્દ્ર સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નિયુક્ત પોર્ટલ દ્વારા 14 લોકોને તેમની અરજીઓની પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ પ્રમાણપત્રો સોંપ્યા છે.
1. CAAનું પૂર્ણ સ્વરૂપ નાગરિકતા (સુધારો) કાયદો છે. નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ એક કાયદો છે, જેના હેઠળ ડિસેમ્બર 2014 પહેલા ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા છ ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)ને નાગરિકતા આપવામાં આવશે.
2. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકસભા ચૂંટણી પહેલા 11 માર્ચ 2024 ના રોજ નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 ની સૂચના જાહેર કરવામાં આવી છે. CAA નિયમોનો હેતુ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાનો છે.
3. ભારતીય નાગરિકતા ફક્ત તે જ લોકોને મળશે, જેમણે 31 ડિસેમ્બર 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આશ્રય લીધો હતો.
4. ડિસેમ્બર 2019માં સંસદમાં નાગરિકતા (સુધારો) અધિનિયમ 2019 પસાર કરવામાં આવ્યો હતો. આ પછી CAA કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ, દેશના વિવિધ રાજ્યોમાં CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.
5. CAAના નિયમો પહેલાથી જ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેના માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. અરજી માટે અરજદારને કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. અરજદારોએ ભારત ક્યારે આવ્યા તે દર્શાવવું પડશે.
6. છેલ્લા બે વર્ષ દરમિયાન, નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવા માટે નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને સત્તા આપવામાં આવી છે.
7. ગૃહ મંત્રાલયના 2021 ના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 અને 31 ડિસેમ્બર, 2021 ની વચ્ચે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના 1,414 વ્યક્તિઓને નાગરિકતા કાયદા હેઠળ નોંધણી અથવા નેચરલાઈઝેશન દ્વારા ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. 1955. પ્રદાન કરવામાં આવી છે.
8. ભારતીય નાગરિકોને નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીયોને બંધારણ હેઠળ નાગરિકતાનો અધિકાર છે. CAA કાયદો ભારતીય નાગરિકતા છીનવી શકે નહીં.
9. ગૃહ પ્રધાન અમિત શાહે 9 ડિસેમ્બરે લોકસભામાં તેને રજૂ કર્યું હતું. નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) 11 ડિસેમ્બર 2019 ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. CAAની તરફેણમાં 125 અને તેની વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. તેને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી.
10. નાગરિકતા સંશોધન બિલ 2016 (CAA) વર્ષ 2016 માં રજૂ કરવામાં આવ્યું હતું. આમાં 1955ના કાયદામાં ફેરફાર કરવાના હતા. જેમાં ભારતના ત્રણ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની હતી. તેને ઓગસ્ટ 2016માં સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી હતી, અને સમિતિએ 7 જાન્યુઆરી 2019ના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન











Click it and Unblock the Notifications
