CAA: આ દેશોએ ભારત આવતા તેમના નાગરિકોને માટે એડવાઇઝરી બહાર પાડી
દેશમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિશે વિરોધ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે આ હિંસક વિરોધ વચ્ચે, ઘણા દેશો ભારતમાં આવતા તેમના નાગરિકોને ચેતવી રહ્યા છે.
દેશમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિશે વિરોધ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે આ હિંસક વિરોધ વચ્ચે, ઘણા દેશો ભારતમાં આવતા તેમના નાગરિકોને ચેતવી રહ્યા છે.

આ દેશોએ જારી કરી એડવાઇઝરી
રશિયા અને અમેરિકા, કેનેડા, યુકે અને ઇઝરાઇલે ભારતમાં આવતા પોતાના નાગરિકોને ચેતવણી આપી સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. આ દેશો દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે નાગરિકોએ જ્યાં વિરોધીઓ હાજર હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ.

દોખાવો થતા હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળો
ગત સપ્તાહે કેટલાક દેશો વતી નાગરિકોને સલાહ આપવામાં આવી છે. આ દેશોની યાદીમાં સિંગાપોરનું પણ નામ છે. નાગરિકોને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું હતું. સીએએ વિરtદ્ધ પ્રથમ દેખાવો દેશના પૂર્વોત્તર ભાગોમાં શરૂ થયા હતા અને તે ખૂબ હિંસક હતા. રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે ટ્વીટર પર આ એડવાઇઝરી રજુ કરી હતી. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'રશિયન નાગરિકો કે જે હાલમાં ભારતમાં છે અથવા આગામી દિવસોમાં ભારત જવાનું વિચારી રહ્યા છે, તેઓને જાગૃત રહેવાની સલાહ આપી છે અને તે ભાગોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે જે વિરોધીઓના નિયંત્રણમાં છે.

આસામ ન જવાની આપી સલાહ
14 ડિસેમ્બરના રોજ, યુએસ એમ્બેસી દ્વારા પણ તેના નાગરિકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું હતું. યુકે સરકારે ગયા અઠવાડિયામાં જ તેના નાગરિકો ભારત ન આવવાની સલાહ આપી હતી. તે જ સમયે, સિંગાપોર દ્વારા આવી જ સલાહ આપવામાં આવી હતી. 13 ડિસેમ્બરે, કેનેડાએ તેના નાગરિકોને અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં જવાનું ટાળવાનું કહ્યું. ભારતની નજીકના ઇઝરાઇલે પણ તેના નાગરિકોને ગયા અઠવાડિયે આસામ ન જવાની સલાહ આપી હતી.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
