Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકાર આપકે દ્વાર કાર્યક્રમ હેઠળ માણસામાં યોજાશે કેબિનેટ બેઠક, CM માનનું આગમન

Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે માનસા ખાતે કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. આ દરમિયાન પંજાબ સરકારે કાચા શિક્ષકોને મોટી ભેટ આપી છે.

Bhagwant Mann

પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબ કેબિનેટ દરમિયાન પંજાબમાં 14239 શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પંજાબ સરકારે ચિટ ફંડ કંપનીઓ માટે પણ મોટો નિર્ણય લીધો છે.

કેબિનેટે ચિટ ફંડ કંપનીઓ માટેના કાયદામાં સુધારાને મંજૂરી આપી છે. હવે બનાવટના દોષિતોને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત પંચાયત અને મહાનગરપાલિકામાં કમિશનના અહેવાલનો અમલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આવા સમયે, કેબિનેટની બેઠક દરમિયાન પંજાબમાં ડૉકટર્સ અને નર્સોની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 1880 MBBS ડૉકટર્સ અને નર્સોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત રખડતા પશુઓના કારણે થતા માર્ગ અકસ્માતો અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંજાબ સરકાર દ્વારા ત્યજી દેવાયેલા પ્રાણીઓની જાળવણીને લઈને એક નીતિ લાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માણસા પહેલા લુધિયાણા અને જલંધર જિલ્લામાં પણ કેબિનેટની બેઠક યોજાઈ ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X